જિમમાં વર્કઆઉટ કરતા એન્જિનિયર યુવાનનું મોત, કારણ ચોંકાવનારું છે

જીમમાં વર્કઆઉટ કરતા યુવાનો માટે આંખ ખોલનારો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. એક તંદુરસ્ત અને એન્જિનિયર યુવાન જીમમાં વર્કઆઉટ કરતો હતો અને જ્યારે તે ટ્રેડ મીલ પર કસરત કરતો હતો ત્યારે અચાનક કરંટ પસાર થઇ જવાને કારણ યુવકનું મોત થયું છે. મોત થયું ત્યારે  ટ્રેડ મીલના કરંટને કારણે મોત થયું છે એ વાતની ખબર નહોતી પડી, પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે યુવાનના મોતનું સાચું કારણ બહાર આવ્યું છે.

નવી દિલ્હીના રોહિણીમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે ટ્રેડમિલમાં કંરટ દોડી જવાને કારણે યુવકનું મોત થયું છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે.મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે જીમ સંચાલક સામે ગુનો નોંધ્યો છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજધાની દિલ્હીના રોહિણીમાં જીમમાં વર્કઆઉટ કરતી વખતે ટ્રેડમિલમાં કરંટ આવ્યો, જેના કારણે યુવકનું મોત નીપજ્યું. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. મામલાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે જીમ સંચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટના દિલ્હીની રોહિણીની છે. રોહિણી સેક્ટર 19માં રહેતો સક્ષમ પ્રુથી રોહિણી વિસ્તારમાં જ સિમ્પલેક્સ ફિટનેસ ઝોનમાં કસરત કરવા જતો હતો. સક્ષમે બી.ટેક કર્યું હતું. તે ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતો હતો. મંગળવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ સક્ષમ કસરત કરી રહ્યો હતો ત્યારે ટ્રેડમિલમાં કરંટ લાગ્યો હતો. આ પછી તેની તબિયત બગડી હતી.

ઘટના બાદ સક્ષમને તેના મિત્રો તાકીદે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળ્યું હતું.

પોલીસે કહ્યું કે સક્ષમ પુથીનું મોત ટ્રેડમિલમાં કરંટ આવી જવાને કારણે થયું છે. જ્યારે તે જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો તે વખતે જ ટ્રેડમિલમાંથી કરંટ પસાર થયો હતો અને તે કરંટની ઝપેટમાં આવી ગયો હતો. સક્ષમના પરિવારે જીમ સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે સંચાલક સામે ગુનો નોંધી લીધો છે.

જીમ સંચાલકની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.