3 હિન્દુ નેતાઓની હત્યા, તારીખ નક્કી, કરોડો રૂપિયાની ડીલ,શંકાસ્પદ આતંકીઓના ખુલાસા

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને મોટી સફળતા મળી છે. તેમની તરફથી જહાંગીરપુરીમાંથી ધરપકડ કરવામાં આવેલા બંને આતંકવાદીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ સોમવારે દાવો કર્યો હતો કે, બંને આતંકવાદીઓને 27 અને 31 જાન્યુઆરીના રોજ 3 હિન્દુ નેતાઓની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ગત દિવસોમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા આ બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ જગજીત સિંહ (ઉંમર 29 વર્ષ) અને નૌશાદ (ઉંમર 56 વર્ષ)ના રૂપમાં થઇ છે.

દિલ્હી પોલીસના અધિકારીઓએ સોમવારે દાવો કર્યો કે, પંજાબ અને દિલ્હીના 3 દક્ષિણપંથી નેતા આ આતંકવાદીઓની હિટ લિસ્ટમાં હતા, તેમની હત્યાની તારીખ અને સમય પણ આ આતંકવાદીઓને નક્કી કરી દીધો હતો. તેમાંથી 2 નેતાઓને દૈનિક કાર્યક્રમો અને ગતિવિધિઓ બાબતે સંપૂર્ણ જાણકારી પણ આ આતંકવાદીઓએ ભેગી કરી લીધી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ દાવો કર્યો કે, બંને નેતાઓને પહેલા નેતાની હત્યાના બદલે 50 લાખ રૂપિયા મળવાના હતા.

તો બીજા નેતાઓની હત્યા કરવા પર તેમને 1 કરોડ રૂપિયા મળતા અને જો તેઓ ત્રીજા નેતાઓની પણ હત્યા કરવામાં સફળ થતા તો આકાઓ પાસેથી તેમને 1.5 કરોડ રૂપિયા મળતા. ટોકન મની તરીકે આતંકવાદીઓને આકાએ 5 લાખ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધરપકડ થયેલા આતંકવાદીઓએ એક વ્યક્તિની હત્યા કરીને તેનો વીડિયો પોતાના આકાઓને મોકલ્યો હતો. બદલામાં તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. 27 અને 31 જાન્યુઆરીના રોજ આ 3 દક્ષિણાપંથી નેતાઓની હત્યા કરવાના હતા.

ધરપકડ થયેલા આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસને જણાવ્યું કે, આકાઓને પોતાની ક્ષમતા દેખાડવા માટે અમે લોકોએ રાજકુમાર નામના વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ 15 ડિસેમ્બરના રોજ રાજકુમારનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ નિર્મમતાથી રાજકુમારની બોડીના 9 ટુકડા કર્યા. ગળું કાપતા આતંકવાદીઓએ રાજકુમારનો વીડિયો પણ બનાવ્યા. ત્યારબાદ આકાઓને ખુશ કરવા માટે આતંકવાદીઓએ 37 સેકન્ડનો વીડિયો પાકિસ્તાન મોકલ્યો.

આ હત્યાના બદલે જગજીત અને નૌશાદને 5 લાખ રૂપિયા મળ્યા. ત્યારબાદ તેમનો આગામી પ્લાન 27 અને 31 જાન્યુઆરીના રોજ 3 હિન્દુ નેતાઓની હત્યા કરવાનો હતી. તેના માટે આતંકવાદીઓએ સંપૂર્ણ પ્લાન બનાવી લીધો હતો. તપાસ દરમિયાન દિલ્હી પોલીસે આરોપીઓના ઘર પર છાપેમારી કરી. ભલસ્વા ડેરી પાસે તેમના મકાનમાં લોહીના ડાઘ મળ્યા. આ છાપેમારીમાં રાજકુમારની હત્યાનો ખુલાસો થયો. પોલીસને તપાસ દરમિયાન રાજકુમારનું માથું અને હાથના ટુકડા મળી આવ્યા હતા. બોડીના બાકી પાર્ટ્સની અત્યારે પણ શોધખોળ કરવામાં આવી રહી છે. કોર્ટે બંને આતંકવાદીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.