71 વર્ષના વૃદ્ધ સાથે 35 વર્ષીય મહિલાએ કર્યા લગ્ન, પછી છૂટાછેડાના બદલે માગ્યા..

દિલ્હીના પોશ રાજૌરી ગાર્ડન વિસ્તારથી હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આ ફ્લેટની અંદર 35 વર્ષિય એક મહિલાની છરો મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મૃતક મહિલાનું નામ પૂજા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતક મહિલાના શરીરના ઘણા હિસ્સા પર છરાથી વાર કરવાના નિશાન મળ્યા.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, મૃતક મહિલાએ 6 મહિના અગાઉ 71 વર્ષના એસ.કે. ગુપ્તા નામના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હતા. તે વ્યવસાયે અકાઉન્ટન્ટ છે અને તેનો 45 વર્ષનો એક દિવ્યાંગ દીકરો પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીકરાની દેખરેખ માટે તેણે આ ઉંમરમાં બીજા લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ વૃદ્ધની પત્ની સાથે મતભેદ શરૂ થઈ ગયો. બંને વચ્ચે મોટા ભાગે ઝઘડા થવા લાગ્યા. મહિલા છૂટાછેડાના બદલે 1 કરોડ રૂપિયાની માગ કરી રહી હતી. એસ.કે. ગુપ્તા આટલા રૂપિયા આપવા તૈયાર નહોતો.

રિપોર્ટ મુજબ, એસ.કે. ગુપ્તાના દિવ્યાંગ પુત્રને હૉસ્પિટલમાં લઈ જનારા વિપિન શેઠી સામે પોતાની પરેશાની વ્યક્ત કરી. વિપિને 10 લાખ રૂપિયામાં મહિલાને રસ્તામાંથી હટાવવાની વાત કહી. તેમાં 2 લાખ 40 હજાર એડવાન્સ તરીકે વિપિનને આપવામાં આવ્યા. અવસર મળતા જ વિપિન અને તેના સાથી હિમાંશુએ છરો મારીને પૂજાની હત્યા કરી દીધી. ઘટનાને લૂંટ દેખાડવા માટે ઘરમાં તોડફોડ કરવામાં આવી અને પુત્ર અમીતનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો.

પોલીસે ઘટનાસ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાની શોધખોળ કરી. પોલીસને પ્રાથમિક તપાસથી જ ઘટના પાછળ લૂંટફાટનું ઉદ્દેશ્ય હોવાની વાત લાગી રહ્યુ નહોતું. એવામાં પોલીસે એસ.કે. ગુપ્તાને સખ્તાઈથી પૂછપરછ કરી તો આખું રહસ્ય ખૂલીને સામે આવી ગયું. આરોપી ગુપ્તા, વિપિન સેઠી અને અમીતે ગુનામાં પોતાની ભૂમિકા હોવાની વાત કબૂલી લીધું. આરોપીઓ આપેલી નિશાની પર પોલીસે હત્યામાં ઉપયોગ કરવામાં આવેલો ફોન, લોહીથી ખરડાયેલા કપડાં અને ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલી સ્કૂટી જપ્ત કરી લીધી છે. વિપિન સેઠી અને હિમાંશુ ઉર્ફ બલ્લી બંને ગુનો કરતા ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.