VIDEO: રોપ વેમાં કાલથી ફસાયા છે અનેક લોકો, 1નું મોત, આર્મી આવી બચાવમાં

ઝારખંડ રાજ્યના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર મોટી દુર્ઘટના થઈ છે. રવિવારે સાંજે પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવેલા રોપ વેની ટ્રોલી સામસામે અથડાઈ જતા દુર્ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતું. જ્યારે 48માંથી 8ને રેસ્ક્યૂ કરી લીધા છે 40 લોકો હજું બાકી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે હવે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. MI17 હેલિકોપ્ટરથી રેસક્યુ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.

ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRFની ટીમની મદદ લેવાઈ છે. જે સતત રેસક્યુ ઑપરેશન કરી રહી છે. પણ હેલિકોપ્ટરના ભારે પવનને કારણે ટ્રોલી ડામાડોળ થઈ રહી છે. જેનાથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. દેવઘર જિલ્લા વહીવટી તંત્રની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. લોકોને ઝડપથી બહાર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. રવિવારે રામનવમી હોવાથી હજારોની સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવ્યા હતા. રોપ વૅની મજા લેવા માટે આવ્યા હતા.

અચાનક ટ્રોલી એકબીજા સાથે અથડાઈ ગઈ અને આ ઘટના બની. આ ઘટનાને લઈને એક પ્રવાસીએ ત્યાં સુધી કહ્યું કે, આ ઘટના એવા સમય બની છે જ્યારે એક ટ્રોલી ઉપર જઈ રહી હતી અને બીજી નીચે આવી રહી હતી.

આ દરમિયાન ટ્રોલી એકબીજાના સંપર્કમાં આવી ગઈ પછી જોરદાર ટક્કર થઈ ગઈ હતી. જે પ્રવાસીઓને ઈજા પહોંચી છે એમને તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલ ખસેડ્યા છે. બે ટ્રોલી એકબીજા સાથે અથડાતા અન્ય ટ્રોલી પણ ડિસપ્લેસ થઈ ગઈ હતી. તો કેટલીક પથ્થર સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટના બાદ જિલ્લા ક્લેક્ટર મંજુનાથ ભૈજંત્રીએ કહ્યું કે, રોપ વૅ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર હેતું હોસ્પિટલ મોકલી દેવાયા છે. સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકારના મુખ્યસચિવ તાત્કાલિક બીજી ટીમ રવાના કરે. ત્રણ ત્રણ અલગ અલગ પહાડ આવેલા હોવાને કારણે આ પહાડીનું નામ ત્રિકુટ પર્વત છે. દેવઘર જિલ્લાથી 13 કિમી દૂર દુમકા રોડ પર આ ઘટના બની છે. આ જ પર્વત પર દેશની સૌથી મોટી રોપ વૅ સર્વિસ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.