આ કામ માટે રજા ન મળતા ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે આપી દીધું રાજીનામું

મધ્ય પ્રદેશના પ્રશાસનિક વિભાગથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર ફરજ બજાવતા નિશા બાંગરે રાજીનામું આપી દીધું છે. નિશા બાંગર મધ્ય પ્રદેશના ચર્ચિત અધિકારી છે. તેમણે સંવિધાનને સાક્ષી માનીને પોતાના લગ્ન કર્યા હતા. તેની સાથે જ નિશા બાંગર ચૂંટણી લડે તેવી અટકળો હતી, પરંતુ આ વખત તેમણે રજા ન મળવાના કારણે રાજીનામું આપી દીધું છે. નિશા બાંગરે રાજીનામામાં લખ્યું કે, પોતાના જ ઘરના ઉદ્વઘાટન કાર્યક્રમના અવસર પર હાજર રહેવા માટે રજા ન આપવા અને ધાર્મિક ભાવનાઓને અનુરૂપ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી ન આપવાના કારણે રાજીનામું આપવું પડ્યું છે.

તેમણે સામાન્ય પ્રશાસન વિભાગને પત્ર મોકલી દીધો છે. નિશા બંગારે રાજીનામું ગુરુવારે આપ્યું હતું. નિશા બાંગરના ઘરનો ગૃહ પ્રવેશ 25 જૂનના રોજ બૈતુલ જિલ્લાના આમલામાં થવાનો હતો. જેના માટે તેને રજા મળી નહોતી. પોતાના પત્રમાં નિશા બાંગરે એ વાતનો ઉલ્લેખ કર્યો કે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ જ કારણે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. વર્તમાનમાં નિશા બાંગરે છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં SDMના પદ પર પદસ્થ છે.

નિશા બાંગરે થોડા દિવસ અગાઉ ત્યારે લાઇમલાઇટ મેળવી હતી, જ્યારે બૈતુલ જિલ્લાની આમલા વિધાનસભાથી તેમની ચૂંટણી લડવાની વાત સામે આવી હતી. એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતા નિશા બંગારે એ વાતની જાણકારી આપી છે કે તેમના ખાનગી મકાનનું ઉદ્વઘાટન થવાનું હતું. તેના માટે તેમણે પ્રશાસનને રજા મેળવવા માટે પત્ર લખ્યો હતો, ત્યારબાદ તેમને રજા આપવામાં ન આવી. નિશા બાંગરે જાણકારી આપતા કહ્યું કે, થાઈલેન્ડથી ભીમરાવ આંબેડકરની અસ્થિઓ આવવાની છે એટલે એક કાર્યક્રમના માધ્યમથી તેમાં સામેલ થવા માગતી હતી, પરંતુ મધ્ય પ્રદેશ પ્રશાસને રજા ન આપી. આ કારણે રાજીનામું આપી દીધું છે.

ડેપ્યુટી કલેક્ટર નિશા બાંગરે આરોપ લગાવ્યો કે, સંભવતઃ તેમને રાજનૈતિક કારણોસર આ કાર્યક્રમોમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી. હાલમાં મધ્ય પ્રદેશ શાસન તરફથી અત્યાર સુધી રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, પ્રશાસન તરફથી કાર્યક્રમને લઈને કઈ કહ્યું નથી, પરંતુ જો અંતિમ સમયે કાર્યક્રમ રોકવામાં આવે છે તો તથાગત બુદ્ધના અનુયાયી આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે, આમલામાં આયોજિત કાર્યક્રમમાં શ્રીલંકાના કાયદા મંત્રી સહિત લગભગ 11 દેશોના સર્વધર્મ પ્રતિનિધિ સામેલ થશે. સાથે જ શ્રીલંકાથી તથાગત બુદ્ધની અસ્થિતઓ પણ આવશે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.