56 દિવસમાં બળાત્કારી રામ રહીમ પેરોલ પર ફરી 40 દિવસ જેલ બહાર, સાથે દેખાઇ હનીપ્રીત

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એક વખત જેલથી બહાર આવી ગયો છે. શનિવારે ગુરમીત રામ રહીમ સિંહને ફરી જામીન મળી ગયા છે. ગુરમીત રામ રહીમને 3 મહિનામાં બીજી વખત જામીન મળ્યા છે. જામીન મળ્યા બાદ રામ રહીમ બરનાવા ડેરા માટે રવાના થઇ ગયો છે. આ દરમિયાન રામ રહીમને લેવા માટે તેની દીકરી હનીપ્રીત પણ પહોંચી હતી. રિપોર્ટ્સ મુજબ ગુરમીત રામ રહીમે જામીન માટે અરજી કરી હતી. શાહ સતનામ સિંહના જન્મદિવસમાં સામેલ થવા માટે ગુરમીત રામ રહીમે 25 જાન્યુઆરીએ અરજી કરી હતી.

25 જાન્યુઆરીના રોજ ભંડારા અને સત્સંગ માટે ડેરામુખીએ જેલ પ્રશાસનને અરજી મોકલી હતી અને સિરસા જવાની મંજૂરી માગી હતી, જેની મંજૂરી આપી દેવામાં આવી છે. ગુરમીત રાહ રહીમને આ વખત 40 દિવસ માટે જામીન મળ્યા છે. ડેરા સાચ્ચા સૌદ પ્રમુખ ગુરમીત રાહ રહીમ સિંહને પોતાની બે શિષ્યાઓ પર દુષ્કર્મ કરવાના કેસમાં 20 વર્ષની જેલની સજા થઇ છે. 20 વર્ષની સજા ભોગવી રહેલો રામ રહીમ અત્યારે હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. આ સજા દરમિયાન રામ રહીમ ઘણી વખત જામીન પર જેલથી બહાર આવી ચૂક્યો છે.

ગયા વર્ષે પણ તેને 40 દિવસના જામીન, 21 દિવસની ફર્લો અને એક મહિનાના નિયમિત જામીન આપવામાં આવ્યા હતા. વર્ષ 2022ની અધિસૂચના હરિયાણા સારા આચરણવાળા કેદી (અસ્થાયી મુક્તિ) અધિનિયમ મુજબ સારા આચારણવાળા કેદીઓને એક કેલેન્ડર વર્ષમાં 10 અઠવાડિયા માટે નિયમિત જામીન આપી શકાય છે, જેને બે ભાગમાં લઇ શકાય છે. જો કે, મોટા ભાગના કેદીઓને એટલી સરળતાથી અને વારંવાર જામીન આપવામાં આવતા નથી, ભલે કોર્ટ અને અન્ય સંબંધિત અધિકારીઓને જામીન આપવાના અનુરોધ વધારે માત્રામાં આવ્યા હોય.

જેલમાં બંધ કેદી અને બંદીઓને તેમના પરિવારજનો સોમવાર, ગુરુવાર અને શનિવારે મળે છે. તેના માટે સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો સમય નક્કી હોય છે. એવામાં રામ રહીમને બપોરે પોણા બે વાગ્યાની આસપાસ બાગપત રવાના કરવામાં આવ્યો હતો. રામ રહીમ પર આરોપ છે કે કુરુક્ષેત્રના ખાનપુર કોલિયાન ગામના રહેવાસી રણજીત સિંહની હત્યા 10 જુલાઇ 2002ના રોજ એ સમયે કરી દેવામાં આવી, જ્યારે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ખાનપુર કોલિયાન ગામમાં ખેતરોમાં કામ કરી રહ્યો હતો.

ઊંડાણપૂર્વક તપાસ બાદ CBIએ વર્ષ 2007માં 6 આરોપીઓ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યા અને વર્ષ 2008માં આરોપ નક્કી કરવામાં આવ્યા, જ્યારે 8 ઓક્ટોબર 2021ના રોજ કોર્ટે રામ રહીમ અને અન્ય 4 લોકોને ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસના દોષી ઠેરવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.