વસુંધરાને CM ફેસ ન બનાવ્યા તો ઊભો કરી દઇશું ત્રીજો મોરચો, BJP નેતાનું અલ્ટિમેટમ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના માત્ર થોડા જ મહિનાનો સમય બચ્યો છે. એ અગાઉ રાજનેતા પોત-પોતાના વૉટરોને સાધવામાં લાગી ગયા છે. આ દરમિયાન બિકાનેરના કોલાયતથી આવતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ મંત્રી દેવી સિંહ ભાટીએ ભાજપમાં મુખ્યમંત્રી ચહેરા પર મોટું નિવેદન આપી દીધું છે. દેવી સિંહે ખાસ વાતચીતમાં કહ્યું કે, ભાજપમાં વસુંધરા રાજેને મુખ્યમંત્રીનો ચહેરો ન જાહેર કરવામાં આવે તો આગામી દિવસોમાં હું ત્રીજો મોરચો ઊભો કરીશ. આ ત્રીજો મોરચો રાજસ્થાનની અલગ અલગ વિધાનસભાઓમાં પોતાનો દમખમ દેખાડશે.

દેવી સિંહ ભાટી આ દિવસોમાં મારવાડ સહિત રાજસ્થાનના અલગ-અલગ હિસ્સામાં જઈને વસુંધરા સમર્થકોથી મુલાકાત કરી રહ્યા છે અને તેમની મંશા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અનુસંધાને જ્યારે ભાટી બાડમેર મુલાકાત પર પહોંચ્યા તો તેમણે ભાજપને ખરું-ખોટું સંભળાવી દીધું. દેવી સિંહ ભાટી વસુંધરા રાજેના ખૂબ નજીકના છે. વર્ષ 1980થી સતત 7 વખત ધારાસભ્ય રહ્યા છે. ભાટી 3 વખતના મંત્રી પણ રહી ચૂક્યા છે. દેવી સિંહ ભાટીએ કહ્યું કે, પાર્ટી જે પ્રકારે માસ લીડર અને સ્થાનિક નેતાઓને સાઇડ લાઇન કરી રહી છે.

તે તેમણે કહ્યું કે, તે ભાજપ માટે સારું નથી. આ કારણ ભાજપને એક એક કરીને રાજ્યોમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેના મુકાબલે એવો કોઈ ચહેરો નથી જે ભાજપની સત્તામાં વાપસી કરાવી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ વસુંધરા રાજેને હરાવવા માટે ‘મોદી તુમસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં’નો નારો આપીને ભીતરઘાત કર્યો હતો. હનુમાન બેનિવાલની પાર્ટી સાથે ગઠબંધનના સવાલ પર ભાટીએ કહ્યું કે, વસુંધરાને ચહેરો ન બનાવવાની સ્થિતિમાં તેમના સમર્થક અને અમે મળીને ત્રીજો મોરચો બનાવીશું.

તેમણે કહ્યું કે, મજબૂતી સાથે પ્રચાર કરશે, નબળી સ્થિતિમાં જ કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોઈ નાના પ્રદર્શનમાં ટ્વીટ કરવું સન્માનજનક નથી. દેવી સિંહ ભાટીએ કહ્યું કે, ભાજપ માસ લીડરો અને નેતાઓને કિનારો કરી રહી છે. આ જ કારણ છે જે ભાજપની ‘જનઆક્રોશ યાત્રા’ હોય કે, ‘નહીં સાહેગા રાજસ્થાન અભિયાન’ ક્યાંય ભીડ ભેગી થઈ રહી નથી. જયપુરમાં નહીં સહેગા રાજસ્થાન પ્રદર્શન દરમિયાન જો દેશના વડાપ્રધાન ભીડ ભેગી થવાને લઈને ટ્વીટ કરે છે તો તે સન્માનજનક સ્થિતિ નથી.

ભાટીએ કહ્યું કે, અમે પાર્ટીના હિતેચ્છુ છીએ અને પાર્ટીનું ખરાબ ઇચ્છતા નથી, પરંતુ કેટલાક માસ લીડર્સને કિનારે કરીને પોતાની રાજનીતિ ચમકાવવામાં લાગ્યા છે. દેવી સિંહ ભાટીને વસુંધરા રાજેના નજીકના નેતાઓમાંથી એક છે. ગત લોકસભાની ચૂંટણીમાં અર્જૂન મેઘવાલને ટિકિટ આપવાથી નારાજ ભાટીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. અર્જૂન મેઘવાલથી નારાજગીના સવાલ પર ભાટીએ કહ્યું કે મેઘવાલની કાર્યશૈલીથી મારી તેમની સાથે બનતી નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.