જ્યાં સુધી કાયદો ન આવે 5-6 બાળકોને જન્મ આપે સનાતની: કથાવાંચક દેવકીનંદન ઠાકુર

વસ્તી નિયંત્રણ કાયદા પર ભાગવત કથાવાંચક દેવકીનંદન ઠાકુર મહારાજ નિવેદન આપીને ચર્ચામાં આવી ગયા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે, દરેક સનાતનીએ 5-6 બાળકોને જન્મ આપવા જોઈએ. દેવકીનંદન ઠાકુરે સનાતન બોર્ડની રચનાની પણ માગ કરી છે અને કહ્યું કે, આ બોર્ડમાં ધર્માચાર્ય જ હશે. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, વસ્તી પર આજ સુધી નિયંત્રણ થઈ શક્યું નથી. કોઈ વિચારી પણ નહીં શકે કે કેટલો મોટો વસ્તી વિસ્ફોટ થયો છે.

તેમણે કહ્યું કે, 4 પત્નીઓ અને 40 બાળકો જેવા મામલે કોઈ બોલનારું નથી. આઝાદી બાદ સૌથી મોટું સંક્રમણ સનાતન પર થયું છે. ભાગવત કથાવાંચક અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત જૂ મંદિરના સંસ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, ‘મારું કહેવું છે કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવી જાય, ત્યાં સુધી સનતાનીઓએ વધારેમાં વધારે બાળકોને જન્મ આપવા જોઈએ. તેના માટે સમય પર લગ્ન કરો અને 5-6 બાળકોને જન્મ આપો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, આજે લોકો અમને કહે છે કે તમે ખોટી નિવેદનબાજી કરો છો.

તેમણે સવાલ કર્યો કે, ‘જો ભારત આગામી 10 વર્ષ સુધી સનાતન રાષ્ટ્ર જાહેર ન થયું તો ઈમાનદારીથી બતાવો શું ભારત સેક્યૂલર દેશ રહી શકશે? આ હકીકતને જાણકાર પણ જો આંખો પર પટ્ટી બાંધીને ચૂપ બેઠા છે તો તેઓ આગામી પેઢી સાથે અન્યાય કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કથા વાચક દેવકીનંદનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સાઉદી અરબના એક કોલરે મોબાઈલ કોલ પર ગાળો આપતા હિન્દુ ધર્મગુરુને ચોક પર જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.

આ ધમકીને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરી હતી. દેવકીનંદન ઠાકુર મહારાજના પર્સનલ મોબાઈલ નંબર પર સાઉદી અરબથી એક કોલ આવ્યો હતો, જેને રીસિવ કરવા પર ફોન કરનારાએ દેવકીનંદન ઠાકુર પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો અને ગાળો આપવા લાગ્યો. દેવકીનંદનના વિરોધ કરવા પર તેમણે બોમ્બથી ઉડાવી દેવા અને ચોક પર જીવતા સળગાવવાની ધમકી આપી હતી.

દેવકીનંદન ઠાકુરને આ અગાઉ પણ ઘણી વખત જીવથી મારી નાખવા અને ટુકડા-ટુકડા કરવાની ધમકીઓ મળી ચૂકી છે. જેમાં પ્રિયકાંત જૂ મંદિર પર કોઈ મુસ્લિમ સંગઠનના નામથી ચિઠ્ઠી મળી હતી. તેમાં હિન્દુત્વના પ્રચાર પર સામૂહિક નરસંહારની ચેતવણી લખીને મોકલવામાં આવી હતી. વૃંદાવન પોલીસ સ્ટેશનમાં પણ આ સંબંધમાં કેસ નોંધાયેલો છે. તે ઉપરાંત કથા માટે દિલ્હી જતી વખત તેમની ગાડી રોકીને હુમલો કરવાનો પ્રયત્ન પણ થઈ ચૂક્યો છે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.