ધાર્મિક સંસ્થાઓ દ્વારા સંચાલિત ધર્મશાળામાંથી 12% GST નહીં વસૂલાયઃ CBIC

એક નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું હતું કે કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત ધર્મશાળાઓ દ્વારા ભાડે આપવામાં આવેલા 1,000 રૂપિયાથી ઓછા રૂમ પર GST વસૂલવામાં આવશે નહીં.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ ગુરુવારે સાંજે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત ધર્મશાળાઓ દ્વારા ભાડે આપવામાં આવેલા રૂમ પર GST વસૂલવામાં આવશે નહીં.'

હકીકતમાં, નાણા મંત્રાલયે આ નિવેદન એટલા માટે બહાર પડવું પડ્યું કે, રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢા સહિત અનેક ધાર્મિક સંગઠનોએ કેન્દ્રીય નાણાં મંત્રાલય પાસે માંગ કરી હતી કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓને GSTના દાયરામાંથી મુક્તિ આપવામાં આવે.

આ સંદર્ભમાં સાંસદ રાઘવ ચઢ્ઢા ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા અને અપીલ કરી હતી કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની નજીકની ધર્મશાળાઓમાંથી 12 ટકાના દરે GST વસૂલવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ સાથે મોટો અન્યાય છે અને તેના કારણે તેમનો રહેવાનો ખર્ચ ખુબ વધી જાય છે. તેથી, ધાર્મિક યાત્રા દરમિયાન ધાર્મિક સંસ્થાઓની ધર્મશાળાઓમાં રોકાતા શ્રદ્ધાળુઓને GSTમાંથી રાહત આપવી જોઈએ, જેથી કરીને તેઓ ઓછા ખર્ચે તેમની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી શકે.

અહીં તમને બતાવી દઈએ કે, 47મી GST કાઉન્સિલે ગત જૂનમાં નિર્ણય લીધો હતો કે જે હોટલોમાં 1000 રૂપિયાથી ઓછી કિંમત ધરાવતા રૂમ હોય તો તેમાં પણ રૂમ દીઠ દરેક દિવસના હિસાબે 12 ટકા GST વસૂલવામાં આવશે.

જ્યારે GST કાઉન્સિલનો આ પ્રસ્તાવ 18 જુલાઈ, 2022થી દેશભરમાં અમલમાં આવ્યો, ત્યારે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા સંચાલિત ગુરુ ગોવિંદ સિંહ NRI નિવાસ, બાબા દીપ સિંહ નિવાસ, માતા ભાગ કૌર નિવાસને મજબૂરીના કારણે, દરરોજના રૂ. 1,000 સુધીની કિંમતના રૂમો પર ભક્તો પાસેથી GST લેવો પડતો હતો. જેનો સુવર્ણ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ યોગ્ય ન હોવાનું જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો કે, આ વિવાદ પછી, નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક સંસ્થાઓ કે ધાર્મિક ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર GST લાગશે નહીં અને તેમની પાસેથી કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવશે નહીં.

મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ છૂટ ધાર્મિક સંસ્થાઓ અથવા ધાર્મિક ટ્રસ્ટો દ્વારા સંચાલિત ધર્મશાળાના AC રૂમ પર પણ લાગુ થશે, જેની કિંમત પ્રતિ દિવસ 1,000 રૂપિયાથી ઓછી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.