ધાર્મિક સંસ્થાઓ દ્વારા સંચાલિત ધર્મશાળામાંથી 12% GST નહીં વસૂલાયઃ CBIC

એક નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું હતું કે કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત ધર્મશાળાઓ દ્વારા ભાડે આપવામાં આવેલા 1,000 રૂપિયાથી ઓછા રૂમ પર GST વસૂલવામાં આવશે નહીં.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ ગુરુવારે સાંજે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત ધર્મશાળાઓ દ્વારા ભાડે આપવામાં આવેલા રૂમ પર GST વસૂલવામાં આવશે નહીં.'

હકીકતમાં, નાણા મંત્રાલયે આ નિવેદન એટલા માટે બહાર પડવું પડ્યું કે, રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢા સહિત અનેક ધાર્મિક સંગઠનોએ કેન્દ્રીય નાણાં મંત્રાલય પાસે માંગ કરી હતી કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓને GSTના દાયરામાંથી મુક્તિ આપવામાં આવે.

આ સંદર્ભમાં સાંસદ રાઘવ ચઢ્ઢા ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા અને અપીલ કરી હતી કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની નજીકની ધર્મશાળાઓમાંથી 12 ટકાના દરે GST વસૂલવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ સાથે મોટો અન્યાય છે અને તેના કારણે તેમનો રહેવાનો ખર્ચ ખુબ વધી જાય છે. તેથી, ધાર્મિક યાત્રા દરમિયાન ધાર્મિક સંસ્થાઓની ધર્મશાળાઓમાં રોકાતા શ્રદ્ધાળુઓને GSTમાંથી રાહત આપવી જોઈએ, જેથી કરીને તેઓ ઓછા ખર્ચે તેમની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી શકે.

અહીં તમને બતાવી દઈએ કે, 47મી GST કાઉન્સિલે ગત જૂનમાં નિર્ણય લીધો હતો કે જે હોટલોમાં 1000 રૂપિયાથી ઓછી કિંમત ધરાવતા રૂમ હોય તો તેમાં પણ રૂમ દીઠ દરેક દિવસના હિસાબે 12 ટકા GST વસૂલવામાં આવશે.

જ્યારે GST કાઉન્સિલનો આ પ્રસ્તાવ 18 જુલાઈ, 2022થી દેશભરમાં અમલમાં આવ્યો, ત્યારે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા સંચાલિત ગુરુ ગોવિંદ સિંહ NRI નિવાસ, બાબા દીપ સિંહ નિવાસ, માતા ભાગ કૌર નિવાસને મજબૂરીના કારણે, દરરોજના રૂ. 1,000 સુધીની કિંમતના રૂમો પર ભક્તો પાસેથી GST લેવો પડતો હતો. જેનો સુવર્ણ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ યોગ્ય ન હોવાનું જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો કે, આ વિવાદ પછી, નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક સંસ્થાઓ કે ધાર્મિક ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર GST લાગશે નહીં અને તેમની પાસેથી કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવશે નહીં.

મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ છૂટ ધાર્મિક સંસ્થાઓ અથવા ધાર્મિક ટ્રસ્ટો દ્વારા સંચાલિત ધર્મશાળાના AC રૂમ પર પણ લાગુ થશે, જેની કિંમત પ્રતિ દિવસ 1,000 રૂપિયાથી ઓછી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.