આદિપુરુષ પર ભડક્યા બાબા બાગેશ્વર, બોલ્યા- ફિલ્મ કરનારાઓને..

ફિલ્મ ‘આદિપુરુષ’ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મ રીલિઝ થયા બાદ હનુમાનજીના કેટલાક ડાયલોગ દેખાડવામાં આવ્યા છે, જેને લઈને પણ તેનો વિરોધ શરૂ થઈ ગયો. કેટલાક સીન્સ પર હોબાળો મચ્યો. કોઈને આ ફિલ્મ પસંદ આવી, તો કોઈને નાપસંદ. ઘણા લોકોમાં જોરદાર રોષ જોવા મળ્યો. હવે હનુમાનજી પર દેખાડવામાં આવેલા સીન અને ડાયલોગને લઈને બાબા બાગેશ્વર ધામના પિઠાધિશ્વર પંડિત ડિરેન્દ્ર શાસ્ત્રીએ પણ ફિલ્મ પર નિરાશા વ્યક્ત કરી છે.

તેમણે ફિલ્મ ‘આદિપુરુષ’ની નિંદા કરતા કહ્યું કે, એવી ફિલ્મ બનાવનારને હનુમાનજી સદ્બુદ્ધિ આપે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજગઢ જિલ્લામાં થઈ રહેલી પોતાની કથામાં શ્રોતાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ ‘આદિપુરુષ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ફિલ્મને બનાવનારને તો વીર બજરંગી જ બચાવે, જો હનુમાનજી ક્યાંક હશે અને આ ફિલ્મને લખનાર ક્યાંક ફસાઈ ગયો તો પછી સીતા-રામ. અમે આખી ફિલ્મ તો નથી જોઈ, પરંતુ કોઈએ જણાવ્યું કે તેમાં કેટલા નિમ્ન સ્તરનો સંવાદ બોલવામાં આવ્યો છે.

તેમણે આગળ કહ્યું કે, જેમણે લખ્યું છે તેલ તેરે બાપ કા.. તે જો ક્યાંક ફસાઈ ગયા તો જય જય સીતારામ જ બોલશે. જેમણે આ ડાયલોગ લખ્યા છે, હનુમાનજી બાબતે તેમણે સમજવું જોઈએ, હનુમાનજી બોલવામાં એટલા પણ કટુ થોડા છે. હનુમાનજી ખૂબ જ્ઞાની, ખૂબ બુદ્ધિમાન છે. તેઓ તાર્કિક પણ છે, પરંતુ લોકો પોતાના બચાવમાં એવા તર્ક પણ પ્રસ્તુત ન કરે. જેથી તર્ક જ ખરાબ થઈ જાય.

ભારતીય ફિલ્મ આપણાં બાળકોના મન પર છાપ છોડે છે. એટલે ભારતમાં હવે એવી ફિલ્મો બનાવવામાં આવે, જેથી સંસ્કારોની વૃદ્ધિ થઈ શકે. સનાતનનું સંરક્ષણ થઈ શકે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રએએ કહ્યું કે, અમે તો એમ જ કહીશું કે, હનુમાનજી સદ્બુદ્ધિ આપે. આપણાં વીર બજરંગી ભગવાન છે, કોઈ માને કે ન માને, પરંતુ ભક્તો માટે તો છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંચ પર કથા કહેવા પહોંચ્યા તો શ્રદ્ધાળુઓએ ઉત્સાહિત થઈને તેમનું જોરદાર સ્વાગત કર્યું.

આ દરમિયાન તેમણે થોડા દિવસ અગાઉ આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’માં દેખાડવામાં આવેલા હનુમાનજીના સીન અને ડાયલોગને લઈને નિવેદન આપ્યું. બાગેશ્વર ધામના પિઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અત્યારે રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં 26 જૂનથી 28 જૂન સુધી ત્રણ દિવસીય હનુમંત કથા ચાલી રહી છે. સોમવારે કથાનો પહેલો દિવસ હતો, જેમાં 70 હજારથી વધુ મહિલાઓ અને પુરુષ કથા સાંભળવા પંડાલમાં પહોંચ્યા હતા. એવામાં આખો પંડાલ કથા શરૂ થવા અગાઉ જ શ્રદ્ધાળુઓથી ભરાઈ ચૂક્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.