ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરે: જગદગુરુ પરમહંસ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. પછી ભલે તે દિવ્ય દરબાર લગાવવાની વાત હોય કે તેમના નિવેદનો વિશે. આ દરમિયાન અયોધ્યાના તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહે છે કે તેઓ 5-5 દિવસો સુધી બિસ્કીટ ખાઇને રહેતા કારણ કે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. બાગેશ્વર બાબા એવું કહેતા હોય છે કે દરબારમાં હાજર થતા રહો તમે સાજા થઇ જશો. આચાર્ય પરમહંસે કહ્યું કે અમે દરબારમાં ગયા હતા ત્યાં લોકોએ અમને કહ્યું કે અમે 6 મહિનાથી દરબારમાં હાજરી આપીએ છીએ પણ કોઇ ફરક પડ્યો નથી.

આચાર્ય પરમહંસ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી રામકથા કહે, સનાતન ધર્મનો પ્રચાર કરે તે સારી વાત છે, પરંતુ તેઓ લોકોને ભ્રમિત અને ગુમરાહ ન કરે.આચાર્યએ કહ્યુ કે જો તેઓ ખરેખર ચમાત્કાર જાણે છે, તો જમીનમાંથી સોના-ચાંદી કાઢીને બતાવે અને તેમની પાસે આવતા લોકોને વ્હેંચી દે.નોકરી માટે હાજરી આપનારા પાસે પણ તમે ફંડ લઇ રહ્યા છો કોઇને કોઇ લાભ થતો નથી. તેમણે લોકોને કહ્યું કે કોઇ પણ હનુમાન મંદિરે શ્રદ્ધાથી જાઓ અને સિંદુર ચઢાવો તમારા બધા કષ્ટ દુર થશે.

સાથે જ તેમણે કહ્યુ કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે ભાષાનો પ્રયોગ કરે છે તે તેમણે ન કરવો જોઇએ. હું તેમના સારા કાર્યોનું સમર્થન કરું છુ, પરંતુ ભૂત પ્રેત બહાર કાઢવું એ સંતોનું કામ નથી, તે ઓઝાનું કામ છે. કારણ કે જેઓ ભૂતની પૂજા કરે છે તેમને ભૂત જ મળે છે, આ તામસી કાર્ય છે, તેથી હું પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો વિરોધ નથી કરતો, પરંતુ હું તેમના ખોટા કાર્યો, તેમની ખોટી વાતો, તેમની ખોટી નીતિઓનો વિરોધ કરું છું. જો ખરેખર તમે એવું કરી શકો છો તો મોટા મોટા સાધુ સંતો હોસ્પિટલમાં દાખલ થાય છે તમે તેમને સાજા કરી દો.

આચાર્ય પરમહંસે કહ્યુ કે આવી મૂર્ખતા વાળી વાતો તેમણે બંધ કરી દેવી જોઇએ.કારણકે જ્યારે આવા કામોનો ભાંડો ફુટે છે ત્યારે લોકોનો શ્રદ્ધા પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

જગદગુરુએ કહ્યુ કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જે ભીડ જાય છે તેમાંથી 5-10 લોકોની જ પરચી બને છે, બધા લોકોની પરચી બનતી નથી. પછી એવો દાવો કરવો કે નોકરી મળી જશે, બિમારી સારી થઇ જશે એ વાત ખોટી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.