ખેડૂત ધોતી પહેરી મોલમાં આવતા ન આપી એન્ટ્રી, કોંગ્રેસ સરકારે આ કારણ આપી સીલ કર્યો

On

કર્ણાટક સરકારે બેંગ્લોરના એ મોલને 7 દિવસ માટે બંધ કરાવી દીધો છે, જેણે એક ખેડૂતને ધોતી અને એક સફેદ કમીજ પહેરી હોવાના કારણે તથા કથિત પ્રવેશ કરવાની મંજૂરી આપી નહોતી. સરકારે ગુરુવારે આ મોલને 7 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો. આદેશ આવ્યાના થોડા સમય બાદ જ મોલને બંધ કરાવવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ. ખેડૂતને મોલમાં કથિત રૂપે પ્રવેશ ન કરવા દેવાની ઘટનાની વિધાનસભામાં બધી પાર્ટીઓના સભ્યોએ સખત નિંદા કરી છે. જો કે તંત્રએ મોલ બંધ કરવાનું કારણ બાકી ટેક્સ હોવાનું આપ્યું છે. કોર્પોરેશને કહ્યું હતું કે, આ મોલનો 1.78  કરોડ રૂપિયા ટેક્સ બાકી છે, એટલે મોલ બંધ કરવામાં આવ્યો છે.

સરકારે ખેડૂતના કથિત અપમાનને ગરિમા અને સ્વાભિમાન પર આઘાત બતાવ્યો અને કહ્યું કે તેને સહન નહીં કરવામાં આવે. શહેરી વિકાસ મંત્રી બી. સુરેશે સદનને જણાવ્યું કે, મેં બૃહત બેંગ્લોર મહાનગરપાલિકા (BBMP) કમિશનરને પૂછ્યું કે શું કરી શકાય છે. સરકાર પાસે અધિકાર છે. (GT World) મોલ વિરુદ્ધ કાયદા મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે મોલ 7 દિવસો માટે બંધ રહે.

સમાજ કલ્યાણ મંત્રી એચ.સી. મહાદેવપ્પાએ કહ્યું કે, આ ઘટના ખૂબ નિંદાનીય છે. દરેક વ્યક્તિ માટે આત્મસન્માન અને ગરિમા મહત્ત્વપૂર્ણ છે, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સરકાર કાર્યવાહી કરશે. આ ઘટના મંગળવારે એ સમયે ઘટી જ્યારે હાવેરી જિલ્લાના 70 વર્ષય ફકીરપ્પા પોતાની પત્ની અને દીકરા સાથે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા મોલમાં ગયા હતા. ફકીરપ્પાએ કથિત રૂપે સફેદ કમીજ અને પંચે (ધોતી) પહેરી રાખી હતી.

મોલના સુરક્ષા કર્મચારીએ કથિત રૂપે તેમને અને તેમના દીકરાને કહ્યું કે, તેમને પંચે પહેરીને અંદર જવાની મંજૂરી નહીં આપવામાં આવે. કર્મચારીએ તેમને કહ્યું કે, તેઓ પાતલૂન પહેરીને આવે. આ અગાઉ વિધાનસભા અધ્યક્ષ યુ.ટી. ખાદરે આ મુદ્દો ઉઠાવ્યો અને સરકારને કાર્યવાહી કરવા કહ્યું. રાનીબેન્નૂરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રકાશ કોલીવાડે કહ્યું કે, ખેડૂત તેમના મતવિસ્તાર હેઠળ આવતા ગામના રહેવાસી છે.

ખેડૂતે પોતાના બધા 9 બાળકોને ભણાવ્યા ગણાવ્યા છે. તેમનો એક દીકરો બેંગ્લોરમાં MBAનો અભ્યાસ કરે છે અને દીકરો પોતાના પિતાને મોલ દેખાડવા લઇ જવા માગતો હતો. ખેડૂતના પહેરવેશના કારણે તેનું અપમાન કરવામાં આવ્યું અને મોલ બંધ કરી દેવો જોઇએ. વિપક્ષ નેતા આર. અશોકે કહ્યું કે, આ હેઠળ મુદ્દા પર સદનમાં અગાઉ પણ ચર્ચા થઇ ચૂકી છે, પરંતુ પરિણામ શું નીકળ્યું. અધ્યક્ષ કે સરકારે કોઇ આદેશ આપવા પડશે, જેનું નોકરશાહ કડક પાલન કરે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati