રાહુલ ગાંધી બાદ ગેહલોતને પણ થશે સજા? માનહાનિના કેસમાં કોર્ટે આપ્યો મોટો આદેશ

દિલ્હીની એક કોર્ટે પોલીસને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ સંજીવની કૌભાંડ બાબતે કથિત ટિપ્પણી માટે દાખલ કરેલી માનહાનિની ફરિયાદની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અતિરિક્ત મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલે દિલ્હી પોલીસના માધ્યમથી ઘટનાની તપાસના નિર્દેશ આપ્યા છે. એક સંયુક્ત કમિશનર રેંકના અધિકારીને તપાસની દેખરેખ કરવા અને જવાબ આપવા માટે કહ્યું છે કે, શું ગજેન્દ્ર સિંહ શેખાવતને અશોક ગેહલોત દ્વારા સંજીવની કૌભાંડમાં આરોપીના રૂપમાં સંબોધિત કરવામાં આવ્યા?

કોર્ટે હાલમાં અશોક ગેહલોતને સમન્સ જાહેર કરવા પર રોક લગાવી છે. સાથે જ કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશનર આ કેસમાં તપાસ કરે કે, શું અશોક ગેહલોતે ક્યારેય કહ્યું હતું કે ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ આરોપ સાબિત થયા હતા અને શું તેઓ કે તેમના પરિવારના સભ્યોને તપાસમાં આરોપીના રૂપમાં રાખવામાં આવ્યા છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, સંબંધિત સંયુક્ત પોલીસ કમિશનર કેસ તપાસ કે સ્વયં કે કોઈ એવા અધિકારીના માધ્યમથી કરશે જે ઇન્સ્પેક્ટરના પદથી નીચે ન હોય.

તપાસ રિપોર્ટ સુનાવણીની આગામી તારીખ સુધી દાખલ કરવામાં આવશે. ગજેન્દ્ર સિંહ શેખવાતે આરોપ લગાવ્યો હતો કે, અશોક ગેહલોતે તેમને અને તેમની મૃત માતાને કૌભાંડમાં આરોપી કહ્યા. જેમાં સંજીવની કો-ઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટરો/કર્મચારીઓ પર રોકાણકારોની મોટી રકમ પચાવી પાડવાનો આરોપ છે. ફરિયાદકર્તાએ કોર્ટને જણાવ્યું કે, આરોપી દ્વારા ખોટા, અનાવશ્યક, અપમાનજનક અને માનહાનિકારક નિવેદન સામાન્ય જનતા, મતદાતાઓ અને તેમના સંબંધીઓની આંખોમાં ફરિયાદકર્તાની છબીને ધૂમિલ કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવ્યું.

શું છે સંજીવની કૌભાંડ?

સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને રાજસ્થાન સોસાયટી એક્ટ હેઠળ વર્ષ 2008માં રજીસ્ટર કરાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2010માં આ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીના રૂપમાં બદલાઈ ગઈ. તેમાં રોકાણ કરનારાઓને સારા રિટર્નની લાલચ આપવામાં આવી. લગભગ 1 લાખ કરતા વધુ લોકોએ આ સોસાયટીમાં લગભગ 900 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. ત્યારબાદ રોકાણકારોના પૈસા ખોટી રીતે લોન પર આપી દેવામાં આવ્યા અને વ્યાજ ન લેવામાં આવ્યું. જોત જોતમાં સોસાયટીએ ઘણા રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલી દીધી અને નકલી કંપનીઓ ખોલીને લોન આપવામાં આવી. આ સોસાયટીના પહેલા મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ સિંહ હતા, જે કૌભાંડની તપાસમાં મુખ્ય નામ પણ છે.

વિક્રમ સિંહને જ આ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ માનવામાં અવે છે, જેની ધરપકડ પણ થઈ ચૂકી છે. વિક્રમ સિંહ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વચ્ચે કનેક્શન પણ હોવાનું કહેવામાં આવે છે અને બંનેની સાથે તસવીર વાયરલ થઈ હતી. સાથે જ આરોપ એવો પણ છે કે, રોકાણકારોના પૈસા ખોટી રીતે વિક્રમ સિંહ ખાતામાં ટ્રાન્સફર થયા અને વિક્રમ સિંહે એક એવી કંપનીના શેર ખરીદ્યા જેના શેરહોલ્ડર ગજેન્દ્ર સિંહ પણ છે. વર્ષ 2019માં આ અંગે પહેલી FIR થઈ અને ઘણા અધિકારીઓની ધરપકડ થઈ. નીચલી કોર્ટે એક ફરિયાદના આધાર પર ગજેન્દ્ર સિંહની ભૂમિકાને લઈને તપાસના આદેશ આપ્યા, તો હાઇ કોર્ટે બાદમાં તેના પર રોક લગાવી દીધી હતી.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.