શું બાલાસોર ટ્રેન અકસ્માત વિશે બાગેશ્વર બાબાને પહેલેથી ખબર હતી? જાણો જવાબ

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓડિશામાં ભીષણ ટ્રેન દુર્ઘટના પર વાત કરી છે. મીડિયાના સવાલનો ઉલ્લેખ કરતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમને આ અકસ્માતના સંકેત પહેલાથી જ મળી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર માટે વડોદરા પહોંચ્યા હતા.

પોતાના નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં  રહેતા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એ ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માત પર નિવેદન આપ્યું છે. વડોદરામાં યોજાયેલા દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હું સૌ પ્રથમ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીશ બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના પર મીડિયાના સવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કઇંક અનિષ્ટ થવાના સંકેત પહેલેથી મળી જતા હોય છે. તેમણે કહ્યું કે તેમના વિશે જાણવું અલગ બાબત છે અને તેમને ટાળવું એ અલગ બાબત છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે મહાભારત થશે, પરંતુ તેઓ તેને રોકી શક્યા નહોતા.

વડોદરામાં દિવ્ય દરબારમાં પત્રકારે સવાલ પુછ્યો હતો કે શું તમારી શક્તિ કોઇ ઘટનાનો સંકેત આપી શકે છે?  ધીરેન્દ્ર શાસ્ત્રીએ એના જવાબમાં કહ્યુ હતું કે, માય ડિયર, યસ, હા, હું જાણી શકુ છું. અમારી શક્તિઓ બતાવે છે કે પવનની ઝડપ જેટલી વધારે છે, તેટલો લાંબો સમય સુધી સિગ્નલ પ્રાપ્ત કરી શકાય છે. હું રાષ્ટ્ર હિત માટે તેનો ઉપયોગ કરતો રહીશ બાગેશ્વર ધામ સરકારે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદી હુમલો હોય કે ગુપ્ત મામલો હોય, અમે અમારી શક્તિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે તેમને એટલી જ ગતિના સંકેત મળે છે, જેટલી ગતિ પવનની હોય છે, કારણ કે તે પવન પુત્રના ભક્ત છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ઘણા વૈજ્ઞાનિકો-ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ મારી પાસે ખાનગીમાં મળવા આવે છે. બાળકને રડ્યા વિનાદૂધ પણ અપાતું નથી, તો જ્યાં સુધી કોઈ મારી પાસે ન આવે, બાલાજી ભગવાનને વિનંતી કરતો નથી. ત્યાં સુધી હું સામેથી કોઇને કેવી રીતે કહી શકું? ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મેં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને તેમના આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.