શું બાલાસોર ટ્રેન અકસ્માત વિશે બાગેશ્વર બાબાને પહેલેથી ખબર હતી? જાણો જવાબ

On

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઓડિશામાં ભીષણ ટ્રેન દુર્ઘટના પર વાત કરી છે. મીડિયાના સવાલનો ઉલ્લેખ કરતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમને આ અકસ્માતના સંકેત પહેલાથી જ મળી ગયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર માટે વડોદરા પહોંચ્યા હતા.

પોતાના નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં  રહેતા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એ ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માત પર નિવેદન આપ્યું છે. વડોદરામાં યોજાયેલા દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હું સૌ પ્રથમ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીશ બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના પર મીડિયાના સવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કઇંક અનિષ્ટ થવાના સંકેત પહેલેથી મળી જતા હોય છે. તેમણે કહ્યું કે તેમના વિશે જાણવું અલગ બાબત છે અને તેમને ટાળવું એ અલગ બાબત છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ભગવાન કૃષ્ણ પણ જાણતા હતા કે મહાભારત થશે, પરંતુ તેઓ તેને રોકી શક્યા નહોતા.

વડોદરામાં દિવ્ય દરબારમાં પત્રકારે સવાલ પુછ્યો હતો કે શું તમારી શક્તિ કોઇ ઘટનાનો સંકેત આપી શકે છે?  ધીરેન્દ્ર શાસ્ત્રીએ એના જવાબમાં કહ્યુ હતું કે, માય ડિયર, યસ, હા, હું જાણી શકુ છું. અમારી શક્તિઓ બતાવે છે કે પવનની ઝડપ જેટલી વધારે છે, તેટલો લાંબો સમય સુધી સિગ્નલ પ્રાપ્ત કરી શકાય છે. હું રાષ્ટ્ર હિત માટે તેનો ઉપયોગ કરતો રહીશ બાગેશ્વર ધામ સરકારે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદી હુમલો હોય કે ગુપ્ત મામલો હોય, અમે અમારી શક્તિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે તેમને એટલી જ ગતિના સંકેત મળે છે, જેટલી ગતિ પવનની હોય છે, કારણ કે તે પવન પુત્રના ભક્ત છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ઘણા વૈજ્ઞાનિકો-ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ મારી પાસે ખાનગીમાં મળવા આવે છે. બાળકને રડ્યા વિનાદૂધ પણ અપાતું નથી, તો જ્યાં સુધી કોઈ મારી પાસે ન આવે, બાલાજી ભગવાનને વિનંતી કરતો નથી. ત્યાં સુધી હું સામેથી કોઇને કેવી રીતે કહી શકું? ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મેં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને તેમના આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી હતી.

Related Posts

Top News

દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ...
World 
દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી...
Education 
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હવે તેની સૌથી સસ્તી હેચબેક...
Tech & Auto 
ફોક્સવેગને રજુ કરી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, ID Every1, સુંદર ડિઝાઇન... સ્માર્ટ કેબિન!

સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે....
Politics 
સુરતના રાજકારણમાં કેમ મૂળ સુરતીઓને અન્યાય? તેઓ કેમ હાંસિયામાં રહી ગયા?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.