દીકરીના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા, 7 ફેરા પૂરા થયા કે તરત જ પિતાએ જમાઇ પર તલવારથી

રાજસ્થાનમાં પ્રેમ પ્રકરણને લગતી ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે. રાજસ્થાનના આદિવાસી બહુલ ડુંગરપુર જિલ્લાના ઓબેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક વ્યક્તિએ તેની પુત્રીના લગ્ન થતાની સાથે જ તેના જમાઈ પર તલવારથી હુમલો કર્યો. જેના કારણે લગ્ન સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિની પુત્રી બે મહિના પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તેની શોધખોળ કરીને પકડી લાવી હતી. ત્યાર પછી પિતાએ પોતાનું મન મારીને પુત્રીના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા. પણ તે મનમાં બદલાની ભાવના સાથે બેસી રહ્યો હતો. લગ્નમાં સાત ફેરા ફરતાની સાથે જ તેણે જમાઈને મારી નાંખવાનો પ્રયાસ કર્યો.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ઓબેરી પોલીસ સ્ટેશન વિસ્તારના બરબોદનિયા ગામનો છે. ખરાગડા ગામના રહેવાસી ચિરાગ યાદવની જાન સોમવારે સવારે કાલુરામ યાદવની પુત્રી ભાવનાની સાથે લગ્ન કરવા માટે અહીં આવી હતી. લગ્નને લઈને બંને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લગ્નની જાન આવતાની સાથે જ દુલ્હનના પરિવારજનોએ તેનું સ્વાગત કર્યું હતું. લગ્નની જાન બેન્ડ વગાડતી અને નાચતી ગાતી કન્યાના ઘરે આવી. જાનૈયાઓની ખુબ આગતા સ્વાગતા કરવામાં આવી હતી.

લગ્નની તમામ વિધિ વર-કન્યાના પરિવારજનોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. લગ્નના 7 ફેરા પૂરા થયાના થોડા સમય પછી, સસરા કાલુરામ જમાઈ ચિરાગ યાદવને રૂમમાં લઈ ગયો. ત્યાં તેણે ચિરાગ યાદવ પર તલવાર વડે હુમલો કર્યો હતો. અચાનક હુમલો થતાં જ ચિરાગ બૂમ બરાડા પાડવા લાગ્યો હતો. વરરાજા પર હુમલાની જાણ થતાં જ ત્યાં હોબાળો મચી ગયો હતો. જ્યારે કન્યા ભાવના તેના પતિ ચિરાગને બચાવવા આવી ત્યારે પિતાએ તેના પર પણ તલવાર વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન વરરાજાને બચાવવા આવેલા તેનો ભાઈ અનુરાગ, તેના પરિવારજનો રોહિત વૈષ્ણવ પણ ઘાયલ થયા હતા. ઘટના બાદ ત્યાં ભાગ દોડ મચી ગઈ હતી. દરમિયાન કોઈએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ઘાયલોને સાગવાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી વર પક્ષ તરફથી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવના બે મહિના પહેલા તેના પ્રેમી ચિરાગ સાથે જ ભાગી ગઈ હતી. આ અંગે પિતા કાલુરામે ઓબેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેને શોધીને પક્ડી લાવી માં બાપને સોંપી દીધી હતી. આ પછી તેણે ચિરાગ સાથે જ લગ્ન કરવાની વાત કરી હતી. દીકરીના આગ્રહ પર એકાદ વાર પિતા રાજી તો થઇ ગયા. પરંતુ કાલુરામ તેમની પુત્રીના આ પ્રેમ લગ્નથી ખુશ ન હતા. આ કારણથી લગ્નના ફેરા થતાની સાથે જ પિતાએ બદલો લેવાની ભાવનાથી વરરાજા પર તલવાર વડે હુમલો કર્યો હતો.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.