એક કૂતરાનો આતંક, 80 લોકોને કરડ્યું, હોસ્પિટલમાં લાઈન લાગી

બિહારના અરાહ શહેરમાં એક કૂતરાએ એવો હંગામો મચાવ્યો કે તેણે એક સાથે 80થી વધુ લોકોને બચકા ભર્યા અને ઘાયલ કરી દીધા. જિલ્લાની સદર હોસ્પિટલમાં સારવાર કરવામાં તબીબોને પરસેવો છૂટી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરુવારે સાંજે એક હડકાયા કૂતરાને કારણે અફડાતફડી મચી ગઈ હતી. જ્યારે શહેરમાં ખુલ્લેઆમ રખડતા હડકાયેલા કૂતરાએ 80થી વધુ લોકોને બચકા ભર્યા હતા. ત્યારે પાગલ કૂતરાના આતંકને કારણે શહેરની સદર હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ હતી.

પાગલ કૂતરાના કારણે ઘાયલ થયેલા લોકોમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે, કૂતરા કરડવાથી લોકો તાત્કાલિક સદર હોસ્પિટલની ઈમરજન્સીમાં પહોંચ્યા હતા અને તેમની સારવાર કરાવી હતી. કૂતરો કરડ્યા બાદ ઘાયલોને લઈને સદર હોસ્પિટલ પહોંચેલા લોકોના જણાવ્યા અનુસાર અચાનક હડકાયા કૂતરાએ કોઈને હાથ પર તો કોઈને પગ પર કરડ્યો હતો.

કૂતરા કરડવાથી 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જ્યાં સુધી લોકો કંઈક સમજી શકે ત્યાં સુધી તો કૂતરાએ ઘણા લોકોને પોતાનો શિકાર બનાવી લીધા હતા. સદર હોસ્પિટલમાં આવેલા ઘાયલોના પરિવારજનોના જણાવ્યા અનુસાર શિવગંજ, સિનેમા રોડ, ધરહરા, શહીદ ભવન અને કેજી રોડ સહિત વિવિધ સ્થળોએ અનેક લોકોને પાગલ કૂતરાં કરડ્યા હતા.

કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને તરત રજા આપવામાં આવી હતી, જ્યારે કેટલાક લોકોને હોસ્પિટલમાં રાખવા પડ્યા હતા. રસ્તામાં જે પણ મળ્યું તેને કૂતરાએ કરડ્યું હતું. ત્યારબાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે આખરે કૂતરા પર ઉતાર્યો હોવાનું બહાર આવ્યું હતું. લોકોએ જાતે કૂતરાને શોધીને તેને ખુબ માર મારીને મારી નાંખ્યો હતો. ત્યાર પછી  હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભોજપુર જિલ્લાના અરાહ વિસ્તારમાં પાગલ કૂતરાએ કોઈનો ચહેરો તો કોઈનો હાથ અને પગ કરડ્યો. કુતરાનો શિકાર બનેલા લોકો રાત્રે 9 વાગ્યા સુધીમાં સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ગયા હતા. ઈમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબોએ તમામ ઈજાગ્રસ્તોને રજા આપી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, શિવગંજ, શીતલ ટોલા, મોતી ટોલા, સદર હોસ્પિટલ રોડ અને બસ સ્ટેન્ડ રોડ પરથી પસાર થતા મોટાભાગના લોકોને આ કૂતરાએ પોતાનું નિશાન બનાવ્યા હતા. તો બીજી બાજુ KG રોડ, જવાહર ટોલા, બાબુ બજાર, શીતલ ટોલા, ધરહરા, મહાદેવા, મોતી ટોલા, હોસ્પિટલ રોડના રહીશોને પણ નિશાન બનાવ્યા હતા. જે બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ બધા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા. જિલ્લા હોસ્પિટલ અરાહના ડૉક્ટર નવનીત કુમાર ચૌધરીએ જણાવ્યું કે, લગભગ 80 લોકો કૂતરા કરડવાના કેસમાં આવ્યા છે. દર્દીઓમાં 10-12 બાળકો છે. દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.