ઔવેસીના નાનાભાઇએ કોને કહ્યું મને છેડશો નહીં, ટકી નહીં શકો

AIMIMના સાંસદ અને પ્રમુખ અસદુદ્દીન ઔવેસીના નાના ભાઇ અકબરુદ્દીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે આકરા પ્રહારો કર્યો છે. અસદુદ્દીન ઔવેસીની પાર્ટીને ભાજપ સાથે જોડવાના રાહુલ ગાંધીના નિવેદન પર અકબરૂદ્દીને વળતો જવાબ આપ્યો હતો કે, મને છેડશો નહી, અમારી સામે ટકી નહીં શકો.અકબરૂદ્દીને કહ્યુ કે, મજલિસ એટલે કે સભા પર આરોપ લગાવનારાઓ, શું તમારા આકાઓએ એક પણ ઇમારત બનાવી છે, શું તમારી માતાએ કોઇ ઇમારત બનાવી છે ? શું કોઇ ગાંધીએ બનાવી છે? શું PM મોદીએ બનાવી છે? માત્ર ઔવેસી જ ઇમારત બનાવી છે.

અકબરુદ્દીને એક કાર્યક્રમ દરમિયાન રાહુલ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઔવેસી ક્યાંથી આવે છે એ પુછવામાં આવે છે. મને છેડતા નહીં. કોંગ્રેસના ગુલામો હું તમને પુછવા માંગુ છું કે તમારી માતા ક્યાંથી આવી છે? તમે અમને બિલકુલ છેડતા નહીં. તમે અમારી સામે ટકી નહીં શકો. તેમની પોતાની પાસે પોતાનું કશું નથી, તેમની પાસે ઇટાલી વાળા, રોમ વાળા છે બસ. બધું બહારથી જ લાવે છે આ લોકો. એ લોકો બહારવાળા પર નિર્ભર છે અને અમે અલ્લાહ પર નિર્ભર રહેનારા લોકો છીએ.

આ પહેલાં AIMIMની ચીફ અસદુદ્દીન ઔવેસીએ રાહુલ ગાંધીને હૈદ્રાબાદથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઔવેસીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વાયનાડથી નહીં, પરંતુ હૈદ્રાબાદથી ચૂંટણી લડીને બતાવે. સાથે જ કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર મોટી મોટી વાતો જ કરે છે. રાહુલ ગાંધી મારી સામે મેદાનમાં આવી અને મારી સામે ચૂંટણી લડી બતાવે, હું તૈયાર છું.

આ આખો વિવાદ તેલંગાણામાં રાહુલ ગાંધીના ભાષણથી શરૂ થયો છે. એ પછી AIMIMના પ્રમુખ અને તેમના નેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે નિશાન સાધી રહ્યા છે.

રાહુલે સભામાં ઔવેસીની નીતિ સામે સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે તેમની વિચારધારા નફરતવાળી છે. રાહુલે સભામાં આક્રમકતા સાથે કહ્યું હતું કે ઔવેસી ભાજપની નફરતની વિચારધારાને શેર કરે છે.

ઓવૈસી ભાજપ સાથે નફરત અને વિભાજનની વિચારધારા ધરાવે છે અને બંને પક્ષોની વિચારસરણી સમાન છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા અસદુદ્દીન ઓવૈસી પર આ પહેલો સીધો અને તીખો હુમલો હતો.

About The Author

Related Posts

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.