ખૂબ દારૂ પીધો, સલાહ વિના વાયગ્રાની 2 ગોળીઓ ખાધી, પછી...

એક માણસે ખૂબ દારૂ પીધો, પછી તેણે વાયગ્રાની 2 ગોળીઓ ખાઈ લીધી. આ પછી વ્યક્તિને સ્ટ્રોક આવ્યો. ત્યાર પછી તેનું મૃત્યુ થયું હતું. 'જર્નલ ઑફ ફોરેન્સિક મેડિસિન'માં પણ વ્યક્તિના પોસ્ટમોર્ટમની માહિતી વિગતવાર પ્રકાશિત કરવામાં આવી છે. AIIMSના ડૉ. જય નારાયણ પંડિત, જેમણે આ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, જણાવ્યું હતું કે, વ્યક્તિને સ્લાઇડનાફિલ (વાયગ્રા) દવા લેવાની સલાહ આપવામાં આવી ન હતી. આમ છતાં પણ તેણે દવા પીધી.

આ કેસ સાથે જોડાયેલા ડોક્ટરોએ જણાવ્યું કે, આ વ્યક્તિ તેની એક મહિલા મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો. જ્યાં તેણે વાયગ્રાની 50 મિલિગ્રામની બે ગોળી ખાધી હતી. જો કે રિપોર્ટમાં આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિનું બ્લડ પ્રેશર ઘણું વધી ગયું હતું. તે પહેલેથી જ નશામાં હતો. લોહીમાં આલ્કોહોલનું સ્તર પણ શરીરમાં નિર્ધારિત ધોરણ કરતા બમણું હતું.

જ્યારે વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઈ ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મેડિકલ જર્નલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, વ્યક્તિએ કઈ બ્રાન્ડની દવા લીધી હતી? ભારતમાં આ કિસ્સો ક્યાં સામે આવ્યો, કોણ હતું દર્દી. આ બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

દારૂ પીધા બાદ અને વાયગ્રાની ગોળી લીધા બાદ આ વ્યક્તિને માથાનો દુખાવો અને ઉલ્ટી થઈ હતી. જો કે, આવું થયું  હોવા છતાં, પુરુષની સ્ત્રી મિત્રએ કોઈ તબીબી મદદ લીધી ન હતી. મહિલાએ દાવો કર્યો હતો કે, વ્યક્તિમાં આ અગાઉ પણ આવા લક્ષણો જોવામાં આવ્યા હતા.

આ કેસ સાથે જોડાયેલા ડોકટરોએ પણ કહ્યું કે, આ કેસ દર્શાવે છે કે, લોકોએ ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ. ડોક્ટરોએ કહ્યું કે, ઘણીવાર પુરુષો સેક્સ્યુઅલ પરફોર્મન્સ વધારવા માટે આ દવા લે છે.

આ કેસ સાથે જોડાયેલા પેથોલોજિસ્ટ્સે જણાવ્યું કે, વ્યક્તિને સ્ટ્રોક આવવાનું એક મોટું કારણ દારૂ પીધા પછી વાયગ્રાનું સેવન હશે. આલ્કોહોલ પીવાના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર પહેલેથી જ વધી ગયું હશે. જ્યારે તેણે આ વાયગ્રાની ગોળી ખાધી હશે ત્યારે મગજની નસ પર દબાણ આવ્યું હશે. જેના કારણે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો હતો.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બ્લડ પ્રેશર વધે છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વ્યક્તિની અંદર લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 186.61 mg/100 ml હતું. જે 80 mg/100 ml હોવી જોઈએ.

મીડિયા રિપોર્ટ મુજબ, વાયગ્રાને ફાર્મા કંપની ફાઈઝર દ્વારા બનાવવામાં આવે છે. બ્રિટનમાં હેલ્થકેર સિસ્ટમ, નેશનલ હેલ્થ સર્વિસે વાયગ્રા ઉપલબ્ધ કરાવી નથી. NHSએ પણ વાયગ્રાને લઈને આ ચેતવણી બહાર પાડી છે. NHS કહે છે કે, 1000માંથી એક વ્યક્તિને સ્ટ્રોક થવાની શક્યતા રહેલી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.