સાઇકલથી જઇ રહેલા DSPને વેગન આર કારે ઉડાવી દીધા, મોત

હરિયાણાના હિસારમાં શનિવારે સાંજે DSPનું રોડ અકસ્માતમાં દર્દનાક મોત થઇ ગયું. DSP ચન્દ્રપાલ ફતેહાબાદના રાતિયામાં કાર્યરત હતા. સાઇકલથી જતી વખત અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી, ત્યારબાદ તેમને સારવાર માટે અગ્રોહા મેડિકલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર દરમિયાન મોત થઇ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, DSP ચન્દ્રપાલ રોજ સાઇકલિંગ કરતા હતા.

રિપોર્ટ્સ મુજબ, ફતેહાબાદના રાતિયામાં ફરજ બજાવતા DSP ચન્દ્રપાલ સાઇકલિંગ માટે નીકળ્યા હતા. અગ્રોહા તરફ જવા દરમિયાન અજાણ્યા વાહને સાઇકલ સવાર DSP ચન્દ્રપાલને ટક્કર મારી દીધી અને ઘટનાસ્થળથી ભાગી નીકળ્યો હતો. ઘટના બાદ ભીડ ભેગી થઇ ગઇ. ઘટના પર ઉપસ્થિત લોકોએ પોલીસને તેની જાણકારી આપી હતી. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા DSPને સારવાર માટે અગ્રોહા મેડિકલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં તેમનું મોત થઇ ગયું.

જાણકારી મળતા જ પોલીસ વિભાગના ઘણા અધિકારી હૉસ્પિટલમાં DSPને જોવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. કહેવામાં આવ્યું છે કે, રાતિયા અગાઉ DSPની પોસ્ટિંગ ટ્રાફિક પોલીસમાં પણ રહી હતી. એ અગાઉ પણ તેઓ ભટ્ટુ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. DSP ચન્દ્રપાલ રોજ ઘણા કિલોમીટર સુધી સાઇકલિંગ કરી રહ્યા હતા. વાહનની ટક્કર બાદ તેમની સાઇકલ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. રોડ કિનારે તેમની સાઇકલ, હેલમેટ અને પાણીની બોટલ પડી હતી.

એક રિપોર્ટ મુજબ DSPના મોત બાદ પોલીસ એક્શનમાં આવી અને DSPને ટક્કર મારનારા વાહનની ઓળખ કરી. DSPને રાજસ્થાન નંબરની વેગનઆર કારે ટક્કર મારી હતી, જે અગ્રોહાથી લગભગ 7 કિલોમીટર દૂર સાદરવાસ ગામના ખેતરોમાં મળી. કારના કાંચ પૂરી રીતે તૂટેલા હતા. કાર ચાલક ગાડીને ખેતરોમાં છોડીને ફરાર થઇ ગયો છે. પોલીસ ગાડીની તપાસ કરીને દસ્તાવેજથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે ટક્કર મારનાર વ્યક્તિ કોણ છે.

ક્યાંક તેની DSP સાથે કોઇ દુશ્મની તો નથી? SPએ આ ઘટના પર તપાસના આદેશ આપ્યા છે. DSPનું શબ મોર્ચરીમાં રખાવવામાં આવ્યું અને પોલીસ વિભાગમાં કર્મચારી, સ્વજન અને DSPના ગામના સેકડો લોકો અગ્રોહા મેડિકલ કોલેજમાં ભેગા થયા હતા. DSP બિશ્નોઇ સમાજમાંથી આવતા હતા અને તેઓ એક પર્યાવરણ પ્રેમી હતા. તેઓ મિલનસાર હતા અને લોકોના સુખ, દુઃખમાં સામેલ થયા હતા.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ

દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા સ્ટાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ ‘અખંડા 2’ કાયદાકીય દાવપેંચમાં ફસાયા બાદ રીલિઝ કરી દેવામાં આવી છે....
Entertainment 
PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.