ડુપ્લીકેટ ચાવી-કોન્સ્ટેબલને બંધક બનાવીને જેલમાંથી ભાગનાર કેદી 17 વર્ષ પછી ઝડપાયો

17 વર્ષ પહેલા જૂનાગઢ જેલમાંથી નાસી છૂટેલા કેદીને પકડવામાં ગુજરાતની સુરત પોલીસને સફળતા મળી છે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઓળખ બદલીને દિલ્લીમાં રહેતા કેદીને પકડીને જૂનાગઢ પોલીસને હવાલે કર્યો હતો. જે જેલમાંથી તે 17 વર્ષ પહેલા ભાગી ગયો હતો, હવે તેને ફરીથી તે જ જેલમાં રહેવું પડશે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એક બાતમીદાર દ્વારા માહિતી આપતા મળી હતી. જેલમાંથી નાસી છૂટેલા આ નરાધમને પકડવા માટે પોલીસે ખૂબ જ ગુપ્ત રીતે સમગ્ર ઓપરેશન પાર પાડીને સફળતા મેળવી હતી.

દિલ્હીના ત્રિરમપુરામાં રહેતા ભુજબલ કેવટ (38)એ 2004માં સુરતના સચિન વિસ્તારમાં લૂંટને અંજામ આપ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભુજબળ કેવટે તેના સાગરિતો સાથે મળીને હથિયારોની મદદથી ઔદ્યોગિક લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ચાર્જશીટ બાદ આરોપીને સજા થઈ હતી અને ત્યારબાદ કોર્ટે તેને પાંચ વર્ષની કેદની સજા ફટકારી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો. જુનગઢ જેલમાં પહોંચેલા ભુજબલ કેવટ થોડા દિવસો સુધી સજા ભોગવીને 2006માં પોતાના સાથીઓની સાથે જેલ તોડીને ફરાર થઈ ગયો હતો.

ભુજબળ કેવટના જેલમાંથી ભાગી જવાની ઘટનામાં બેરેકના તાળાની ચાવી તેમણે કોઈક રીતે બનાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. તે ચાવી વડે તાળું ખોલીને બહાર આવ્યો હતો અને પછી જેલની છત પર પહોંચ્યો હતો, પરંતુ જ્યારે તેને ત્યાંથી ભાગવાનો મોકો ન મળ્યો ત્યારે તે તેના સાથીઓ સાથે મુખ્ય દ્વાર પર પહોંચ્યો અને ત્યાં તૈનાત કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. આમાં તેણે કોન્સ્ટેબલને ઝાડ સાથે બાંધી દીધો અને પછી ફરાર થઈ ગયો. 2006માં જૂનાગઢ જેલ તૂટી ત્યારે મામલો ખૂબ ગરમાયો હતો, પરંતુ તે પછી પોલીસ ભુજબળને પકડી શકી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે દિલ્હી જવાને બદલે પહેલા UP ગયો અને પછી પોતાની ઓળખ બદલીને દિલ્હી આવ્યો.

બાતમીદારની બાતમીના આધારે સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી ખાતે એક ટીમ મોકલી હતી અને ત્યાં ઓળખ બદલીને છુપાયેલા ભુજબળ કેવટને પકડી લીધો હતો. ટીમ બુધવારે તેને સુરત લાવી હતી. ત્યાર પછી તેને જૂનાગઢ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2006માં જૂનાગઢ જેલ તોડની ઘટનામાં કુલ ત્રણ કેદીઓ નાસી છૂટ્યા હતા. જેમાં એક કેદી પોલીસના હાથે ઝડપાયો હતો, પરંતુ બે કેદી કસ્ટડીમાં આવ્યા ન હતા. પોલીસે આ કેસમાં 17 વર્ષથી ફરાર કેદીની ધરપકડ કરી છે.

About The Author

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.