1 રૂપિયાની કમાણીમાં 34 પૈસા ઉધારના, 20 પૈસા વ્યાજ ચૂકવવામાં ખર્ચ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 2023-24નું બજેટ રજૂ કરી દીધું છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું ફુલ બજેટ છે. બજેટ ભાષણની શરૂઆતમાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ અમૃતકાળમાં પહેલું બજેટ છે. બજેટમાં સરકાર બતાવે છે કે તે ક્યાંથી કેટલું કમાશે અને ક્યાં કેટલો ખર્ચ કરશે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, વર્ષ 2023-24માં સરકાર 45 લાખ આક્રોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. એ માત્ર બજેટ અનુમાન છે અને સામાન્ય રીતે બજેટમાં જેટલો ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવે છે, તેનાથી ઘણો બધો થઇ જાય છે.

તો વર્ષ 2022-23માં સરકારે 39.44 લાખ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ હવે અનુમાન છે કે આ ખર્ચ લગભગ 42 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હશે. ખેર સરકારનું અનુમાન છે કે વર્ષ 2023-24માં તે જે 45 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે, તેમાંથી 27.16 લાખ કરોડ રૂપિયા તો ટેક્સ અને બીજી જગ્યાઓથી આવશે, પરંતુ બાકી ખર્ચ માટે સરકાર ઉધાર લેશે. સરકાર આ વર્ષે 17.86 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે.

ક્યાંથી કમાશે સરકાર?

જો સરકાર 1 રૂપિયો કમાય છે તો તેમાંથી 34 પૈસા ઉધારીના જ હોય છે. એ સિવાય 17 પૈસા GSTમાંથી આવશે, જ્યારે 15-15 પૈસા ઇનકમ ટેક્સ અને કોઓર્પોરેશન ટેક્સથી આવશે. 7 પૈસા એક્સાઇઝ ડ્યૂટીમાંથી, 6 પૈસા નોન ટેક્સ રેવેન્યૂ, 4 પૈસા ક ડ્યૂટી અને 2 પૈસા કેપિટલ રિસિપ્ટમાંથી કમાશે.

ક્યાં ખર્ચ કરશે સરકાર?

આ પ્રકારે સરકાર જે 1 રૂપિયો ખર્ચ કરશે તેમાંથી 20 પૈસા માટે લોન પર વ્યાજની ચૂકવણી કરવામાં જ જતા રહેશે. એ સિવાય 18 પૈસા રાજ્યોને ટેક્સ અને ડ્યુટીનો હિસ્સો આપવામાં ખર્ચ થશે. તો 17 પૈસા કેન્દ્ર અને 9 પૈસા કેન્દ્ર પ્રયોજિત યોજનાઓમાં ખર્ચ થશે. ત્યારબાદ 9 પૈસા નાણાં આયોગ પાસે જશે, 8 પૈસા ડિફેન્સ પર, 7 પૈસા સબસિડી પર, 4 પૈસા પેન્શન અને બાકી બચેલા 8 પૈસા બીજી જગ્યાઓ પર ખર્ચ થશે.

કોઇ પણ રાજ્ય સરકાર હોય, દેશ ચલાવવા માટે લોન કે ઉધારી લેવી જ પડે છે. તેનું કારણ એ છે કે આવકના સોર્સ ઓછા છે અને ખર્ચ વધારે થાય છે. આ જ કારણ છે કે એક્સપર્ટ્સ સૂચવે છે કે સરકારોએ ગેર-જરૂરી ખર્ચાઓથી બચવું જોઇએ અને પોતાના દેવામાં સ્થિરતા લાવવી જોઇએ. એક્સપર્ટ્સ એ પણ સૂચવે છે કે સરકારે પૂંજીગત રોકાણ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઇએ, જેથી આગામી સમયમાં તેનાથી કમાણી થઇ શકે. સરકાર આ વર્ષે 10 લાખ કરોડ પૂંજીગત રોકાણ કરવા જઇ રહી છે.

રહી વાત સરકારની આવકમાં દેવાની હિસ્સેદારીની તો તે કોરોના મહામારી બાદ હજુ વધી ગઇ છે. મનમોહન સરકારમાં કમાણીમાં 27-29 પૈસા ઉધારી કે લોનથી આવતા હતા. મોદી સરકારમાં તે ઓછા થઇને 20 પૈસા નીચે આવી ગયા હતા, પરંતુ કોરોનાના સમયમાં સરકારની કમાણીમાં દેવું ખૂબ વધ્યું. વર્ષ 2021-22માં સરકારની 1 રૂપિયાની કામણીમાંથી 36 પૈસા લોનના હતા. સરકારની કમાણી 27 લાખ કરોડ અને ખર્ચ 45 લાખ કરોડથી વધુ છે. એવામાં જ્યારે કમાણી ઓછી અને ખર્ચ વધારે થાય છે તો તેનાથી સરકારનું રાજકોષીય નુકસાન વધે છે.

નાણાકીય વર્ષ 2023-24માં સરકારનો રાજકોષીય નુકસાન GDP 5.9 રહેવાનું અનુમાન છે. આ અગાઉ વર્ષ 2022-23માં આ નુકસાન 6.4 ટકા હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બજેટ ભાષણ વાંચતા જણાવ્યું હતું કે, વર્ષ 2025-26 સુધી આ રાજકીય નુકસાન GDPના 4.5 ટકાથી નીચે લાવવાનો ટારગેટ છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.