જેલમાં બંધ મનીષ સિસોદીયાની EDએ 8 કલાક પૂછપરછ કરીને ધરપકડ કરી લીધી, કેજરીવાલે....

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાની મુશ્કેલીનો અંત આવતો નથી, બલ્કે મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. પહેલા CBIએ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી જ છે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની પણ  એન્ટ્રી થઇ હતી અને ગુરુવારે EDએ મનીલોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની તિહાર જેલમાં 8 કલાક સુધી પુછપરછ કરીને મોડી સાંજે ધરપકડ કરી લીધી હતી CBIના કેસમાં સિસોદીયા પહેલીથી જેલમાં જ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સામે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જનતા બધું જોઇ રહી છે.

મની લોન્ડરીંગના કેસમાં મનીષ સિસોદીયાની 8 કલાકની પુછપરછ પછી EDએ ધરપકડ કરી લીધી છે. EDએ સિસોદીયાની ધરપકડ કરી છે એવા અહેવાલ મળતાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મનીષ સિસોદીયાની પહેલા CBIએ ધરપકડ કરી, CBIને કોઇ પુરાવા ન મળ્યા, દરોડામાં કોઇ રૂપિયા મળ્યા નહોતા. આવતીકાલે જામીન અરજી પર સુનાવણી છે અને આવતી કાલે મનીષ સિસોદીયા જામીન પર છુટી જતે. તો EDએ એ પહેલાં જ સિસોદીયાની ધરપકડ કરી લીધી. કેજરીવાલે કહ્યું કે, તેમનો એક જ આશય છે કે મનીષને કોઇ પણ સંજોગોમાં અંદર જ રાખવામાં આવે. રોજ ખોટા ખોટા કેસો  કરવામાં આવે છે. જનતા બધું જોઇ રહી છે અને જનતા જ જવાબ આપશે.

CBIએ મનીષ સિસોદીયાની શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરેલી છે અને ED શરાબ કૌભાંડમાં મની લોન્ડરીંગના કેસમા જોડાઇ ગઇ છે અને બે દિવસથી સિસોદીયાની પુછપરછ કર રહી છે.મની લોન્ડરીંગ વિશે ગુરુવારે મનીષ સિસોદીયાની 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી અને પછી સિસોદીયાની ધરપકડ કરી લેવામાં આવી.

જાણવા મળેલી માહિતી મુજબ 7 માર્ચે EDએ મનીષ સિસોદીયાની 6 કલાક સુધી મેરેથોન પુછપરછ કરી હતી. એ પછી 9 માર્ચે 2 કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા, પરંતુ સિસોદીયાએ સંતોષકારક જવાબ નહીં આપતા તેમની EDએ ધરપકડ કરી હતી.

CBIએ  પહેલા શરાબ કૌભાંડના કેસમાં મનીષ સિસોદીયાની 26 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. એ પછી સિસોદીયા 7 દિવસ સુધી  CBIની કસ્ટડીમાં રહ્યા હતા. એ પછી 6 માર્ચે રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદીયાને 20 માર્ચ સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. એ પછી મનીષ સિસોદીયાને તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તેલંગાણાના મુખ્યમંત્રી  KCR ની પુત્રી કવિતા પણ દિલ્હી શરાબ પોલિસીમાં કથિત કૌભાંડમાં સામેલ છે. ED આ મામલે 11 માર્ચે તેલંગાણાના CM KCR ની પુત્રી કવિતાની પૂછપરછ કરશે. અગાઉ આ તપાસ 9 માર્ચે થવાની હતી, પરંતુ કવિતાએ ED પાસે સમય માંગ્યો હતો, જે આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.