CM શિંદેએ જણાવ્યું-PM મોદી અને બાળ ઠાકરે સાથે ઉદ્ધવ ઠાકરએ કેવી રીતે કર્યું છળ

PC: timesofindia.indiatimes.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડવા અને ચૂંટણી જીતવાના બાળ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરવા માટે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની નિંદા કરી છે. એકનાથ શિંદે અજીત પવારના નેતૃત્વવાળી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સત્તાધારી ગઠબંધનમાં સામેલ થયા બાદ રાજ્યવ્યાપી પ્રવાસ પર નીકળ્યા છે. તેઓ શુક્રવારે ઠાણેમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, આ લોકોએ તેમની (બાળ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની) તસવીરોનો ઉપયોગ કરીને વોટ માગ્યા અને પછી કોંગ્રેસ સાથે મળીને તેમની સાથે છળ કર્યું. તેમણે મતદાતાઓને છોડી દીધા અને સત્તા માટે લોકોના જનાદેશનો દુરુપયોગ કર્યો. અસલી ગદ્દાર કોણ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370ને સમાપ્ત કરવાના શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના સપનાંને પૂરું કર્યું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન સાથે છળ કર્યું.

તેમણે આગળ કહ્યું કે, ઘણા લોકો તેમની સરકારની પહોંચ પચાવી શકતા નથી. તેમના સત્તાવાર આવાસ ‘વર્ષા’ના દરવાજા પહેલાથી વિરુદ્ધ હંમેશાં બધા માટે ખુલ્લા છે. ભાજપે શિવસેના સાથે પોતાના ગઠબંધનમાં ઈમાનદારીથી વ્યવહાર કર્યો. ભગવા પાર્ટી વર્ષ 2017ની ચૂંટણીઓ બાદ બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં સત્તાનો દાવો કરી શકતી હતી, પરંતુ તેણે શિવસેનાને પોતાનું શાસન ચાલુ રાખવાની મંજૂરી આપી.

ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યા હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ દેખાડ્યું અને શિવસેનાને સરકાર ચલાવવાની મંજૂરી આપી. આજે તેઓ તેમને ગાળો આપી રહ્યા છે. તેમને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શાસનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગત સરકારના અઢી વર્ષમાં કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો, મારી ગાડીને વધારવા માટે હવે અમારી સાથે અજીત પવાર છે. તેમની સરકારને લોકોનો આશીર્વાદ મળ્યો છે અને હવે 200 કરતા વધુ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંત્રીમંડળ વિસ્તારને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે જલદી જ મંત્રીમંડળનો વિસ્તાર થશે. ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર જે ટિપ્પણી કરી છે તે નિંદનીય છે. વર્ષ 2019માં લોકો સાથે વિશ્વાસઘાત કરવો, બાળાસાહેબના વિચારો ત્યજીને ખુરશીની લાલચમાં બધુ ભૂલી જવું, આ બધુ તો તેમણે (ઉદ્ધવ ઠાકરેએ) કર્યું છે. તેમને દેવેન્દ્ર ફડણવીસ બાબતે બોલવાનો શું અધિકાર છે? ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર પર ‘કલંક’ (ધબ્બો) કહેવા પર વિવાદ હજુ વધી ગયો હતો અને તેના પર મુખ્યમંત્રી શિંદેએ પ્રતિક્રિયા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp