લખનૌમાં વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી માયાવતીનો 60 લાખવાળો હાથી તૂટ્યો

લખનૌમાં છેલ્લા 2-3 દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ સાથે સાથે જોરદાર તોફાન અને વીજળી પણ તબાહી મચાવી રહી છે. શહેરની ઘણી જગ્યાઓ પર વીજળી પડવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે જ વીજળી પડવાથી આંબેડકર પાર્કમાં લાગેલી હાથીની મૂર્તિને પણ નુકસાન થયું છે. આંબેડકર પાર્કમાં માયાવતી સરકારમાં લગાવવામાં આવેલી હાથીની મૂર્તિ પર વીજળી પડી ગઈ.

વીજળી પડવાથી હાથીને ખૂબ નુકસાન થયું છે. હાથી પર વીજળી પડવાથી મૂર્તિ ખંડિત થવાના નિશાન નજરે પડી રહ્યા છે. સાથે જ મૂર્તિ પર એક બ્લૂ લાઇન પડી ગઈ છે. એ સિવાય હાથીની સૂંઢ પાસે મોટું કાણું થઈ ગયું છે. મૂર્તિમાં નીચે પણ ખૂબ નુકસાન થયું છે. લખનૌમાં કાલે રાત્રે અઢી વાગ્યે ખૂબ વાદળ ગરજ્યા અને વીજળી પણ કડકી. રાત્રે લગભગ અઢી વાગ્યે વીજળી ગોમતી નગરના આંબેડકર પાર્કમાં એક હાથીની મૂર્તિ પર પડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે માયાવતીએ વર્ષ 2002માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેતા લખનૌના ગોમતી નગર વિસ્તારમાં આંબેડકર પાર્કમાં બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2007માં બહુમતની સરકાર બન્યા બાદ માયાવતીએ આ પાર્કને વધુ મોટો કર્યો અને અહી એક એલિફન્ટ ગેલેરી પણ બનાવી. ગેલેરીમાં પિન્ક સેન્ડસ્ટોનના 62 હાથી લગાવવામાં આવ્યા હતા. એલિફન્ટ ગેલેરીમાં લાગેલી હાથીની આ 62 મૂર્તિઓ ચર્ચામાં રહી છે. કહેવામાં આવે છે કે એક હાથીની મૂર્તિની કિંમત લગભગ 62 લાખ રૂપિયા છે. આ પાર્કનું નિર્માણ રાજસ્થાનથી મંગાવેલા લાલ બલુઆ પથ્થરરથી કરવામાં આવે છે. અહીં પથ્થરથી બનેલી 62 હાથીઓની મૂર્તિઓ લગાવવામાં આવી છે અને આ પાર્કને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ લાગ્યો હતો.

હવે વીજળી પડ્યા બાદ હાથીને ઢાકી દેવામાં આવ્યો છે. સ્મારક સમિતિના PROએ જણાવ્યું કે, હવે નિર્માણ પાલિકાની ટીમ આવીને જોશે અને પછી વીજળી પડવાથી હાથીની મૂર્તિને થયેલા નુકસાનનું સમારકામ કરાવવામાં આવશે. વીજળી પડવાથી આંબેડકર પાર્ક બહારનો રસ્તો પણ ધસી પડ્યો. મુસાળધાર વરસાદે લખાનૌને અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, તો ક્યાં ખાડા થઈ રહ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 3 દિવસ સુધી સતત વરસાદ થવાની સંભાવના છે અને ઘણી જગ્યાએ વીજળી પણ પડી શકે છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.