પત્નીના પિયર જવાથી ગુસ્સે ભરાયેલા પતિએ જાતે પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો

PC: bhaskar.com

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની ઘણી વાતો છે, પરંતુ આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. મધેપુરા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકની પત્ની મકરસંક્રાંતિ નિમિત્તે તેના પિયર ગઈ હતી. તે હજુ સુધી પાછી આવી ન હતી. જેનાથી ગુસ્સે થયેલા તેના પતિએ ધારદાર હથિયાર વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ પછી, તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મધેપુરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્ની તેના પિયર ગયા બાદ ગુસ્સે ભરાયેલા પતિએ તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. સંબંધીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે, યુવકની સારવાર ચાલી રહી છે. હાલ તેની હાલત ગંભીર નથી.

આ ઘટના શુક્રવારે રાત્રે મધેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રજની નયાનગરમાં બની હતી. અહીં એક યુવકની પત્ની તેના પિયર ગઈ હતી. તે હજુ સુધી પાછી આવી ન હતી. આનાથી ગુસ્સામાં યુવકે ધારદાર હથિયાર વડે પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. આ ઘટના બાદ, જ્યારે સંબંધીઓને તેની જાણ થઈ તો તેઓ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.

જણાવવામાં આવી રહ્યું છે કે, 25 વર્ષીય યુવકના લગ્ન ગ્વાલપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના મલોધ વોર્ડની એક યુવતી સાથે થયા હતા. યુવકના સંબંધીઓએ જણાવ્યું કે, તેને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. યુવક પંજાબની એક માર્કેટમાં રહેતો હતો અને કામ કરતો હતો. તે લગભગ બે મહિના પહેલા ઘરે આવ્યો હતો. ત્યારથી તે ઘરે જ રહે છે.

યુવકના સંબંધીઓનું કહેવું છે કે, યુવકની પત્ની મકરસંક્રાંતિ નિમિત્તે તેના પિયર ગઈ હતી. ત્યાર પછી તે તેના પિયરથી  પાછી ફરી ન હતી. જેનાથી નારાજ થઈને યુવકે શુક્રવારે રાત્રે તિક્ષ્ણ હથિયાર વડે પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ વાતની જાણ પરિજનોને થતાં સંબંધીઓ તેને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ ગયા હતા. જ્યાં તબીબો તેની સારવાર કરી રહ્યા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, યુવક માનસિક રીતે બીમાર છે. મેડિકલ કોલેજના ડૉક્ટર સુકેશ કુમારે જણાવ્યું કે, યુવકની સારવાર કરવામાં આવી રહી છે, તેની હાલત હવે ગંભીર નથી.

યુવકના પિતા તેમની જ્ઞાતિના વડા છે. ઘટનાના દિવસે તેના ઘરે જ્ઞાતિજનોની મીટીંગ યોજાવાની હતી. આદિવાસી સમુદાયના વડાના ઘરે કુળદેવતાની સ્થાપના પણ કરવામાં આવે છે. મકરસંક્રાંતિથી લઈને આગામી એક મહિના સુધી આ તહેવાર પરિવારના કુળદેવતા સ્થાનની નજીક ઉજવવામાં આવે છે. આ તહેવારને લઈને ત્યાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકો જ્યારે પરિવારના દેવતા પાસે ગયા તો ત્યાં લોહી જોઈને તેઓ ઘરની અંદર પહોંચ્યા. ત્યાં યુવકને ખૂબ લોહી નીકળી રહ્યું હતું. તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખવામાં આવ્યો હતો. લોકો તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાંથી તેને જન નાયક કર્પૂરી ઠાકુર મેડિકલ કોલેજ, મધેપુરા લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp