તમારા ફાયદાની વાત, ટેક્સેબલ ઇન્કમ હોવા છતા પુરો ટેક્સ માફ થઇ શકે, આ છૂટ મળી છે

PC: facebook.com/nirmala.sitharaman

આવક મેળવવા માટે લોકો જુદા જુદા કામ કરતા હોય છે. રોજગાર અથવા બિઝનેસ દ્રારા પણ લોકો કમાણી કરતા હોય છે. આ કમાણી પર સરકારને ટેક્સ આપવો પડે છે. જો તમારી આવક ટેક્સેબલ હોય તો તમારે ટેક્સ ચૂકવવાનો હોય છે. પરંતુ ઇન્કમ ટેક્સ ભરતી વખતે તમને અનેક પ્રકારની છુટછાટ પણ મળતી હોય  છે. જો તમારી આવક ટેક્સેબલ છે તો આપને મળતી છુટછાટનો ઉપયોગ કરીને તમે ટેક્સ બચાવી શકો છો.

અત્યારે દેશમાં બે પ્રકારના ટેક્સ સ્લેબ છે. તે ટેક્સ સ્લેબ અનુસાર લોકોની આવક પર ટેક્સ લાગે છે. વિવિધ આવક જૂથો માટે અલગ અલગ ટેક્સ સ્લેબ છે. બીજી તરફ, સામાન્ય રીતે, વાર્ષિક રૂ. 2.5 લાખથી વધુની આવક પર ટેક્સ લાગવાનું શરૂ થાય છે. જો કે, વાર્ષિક રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખની આવક પર પણ છૂટ મળી શકે છે.દેશમાં બે ટેક્સ સ્લેબ છે, જેમાં ન્યૂ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમનો સમાવેશ થાય છે. બંને ટેક્સ પ્રણાલીઓમાં, વિવિધ આવક પર અલગ-અલગ દરે ટેક્સ ચૂકવવાની જોગવાઈ છે. જોકે, બંને ટેક્સ સ્લેબમાં લોકોને શરૂઆતમાં રિબેટ પણ મળે છે.

જો 60 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક ઓલ્ડ ટેક્સ રિજીમ અનુસાર ટેક્સ ફાઈલ કરે છે અથવા કોઈ પણ ઉંમરનો નાગરિક નવા ટેક્સ રિજીમ અનુસાર ટેક્સ ફાઈલ કરે છે, તો તેણે વાર્ષિક રૂ. 2.5 લાખથી વાર્ષિક રૂ. 5 લાખની આવક પર 5 ટકા ઇન્કમ ટેક્સ ચુકવવાનો હોય છે. જો કે, રૂ. 5 લાખથી ઓછી કે પાંચ લાખની બરાબર ચોખ્ખી કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિને કલમ 87A હેઠળ ટેક્સમાં છૂટ મળે છે, એટલે કે, આવી વ્યક્તિએ નવી કરવેરા વ્યવસ્થામાં અથવા જૂની કરવેરાની વ્યવસ્થામાં  5 લાખની આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

કલમ 87A એ કાનૂની જોગવાઈ છે જે 1961 ના આવકવેરા કાયદા હેઠળ કર મુક્તિની મંજૂરી આપે છે. 2013 ના ફાઇનાન્સ એક્ટ દ્વારા જે કલમ દાખલ કરવામાં આવી હતી, તે એક નક્કી કરેલી મર્યાદાથી ઓછી આવક વાળી વ્યકતિઓને રાહત પ્રદાન કરે છે. કલમ 87A એ જોગવાઈ કરે છે કે કોઈપણ વ્યક્તિ જે ભારતમાં રહે છે અને જેની આવક રૂ. 5,00,000 થી વધુ નથી તે રિબેટનો દાવો કરવા પાત્ર છે. આમ કુલ કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી હોય તેવી વ્યક્તિઓને સંપૂર્ણ કર મુક્તિ ઉપલબ્ધ છે. આ મુક્તિ ફક્ત વ્યક્તિઓને જ લાગુ પડે છે અને કંપનીઓ વગેરેને લાગૂ પડતી નથી. 4ટકાનાઆરોગ્ય અને શૈક્ષણિક ઉપકર ઉમેરતા પહેલા તેની મુક્તિની ગણતરી કરવામાં આવે છે.

ફાયનાન્સ એક્ટ 2003માં કલમ 87A દાખલ કરવામાં આવી હતી જેમાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યો હતો. હાલમાં, વ્યક્તિગત કરદાતા, જે આવકવેરાના હેતુ માટે ભારતના નિવાસી છે અને તેમની વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ નથી, તેમને આવકવેરામાં રૂ. 12,500ની છૂટ મળી શકે છે. 5 લાખની વાર્ષિક આવક પર ટેક્સની રકમ પણ 12500 રૂપિયા છે.

આવી સ્થિતિમાં, આ રિબેટની મદદથી, લોકોનો 5 લાખ રૂપિયા સુધીનો સંપૂર્ણ આવકવેરો માફ કરવામાં આવે છે. જો કે, જો આ મર્યાદા ઓળંગાઈ જાય તો કલમ 87A હેઠળ મુક્તિનો દાવો કરવાનો અધિકાર સંપૂર્ણપણે ખતમ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp