આ મોદી મેજિક નહીં તો બીજું શું, અજીત પવારે PMના કર્યા વખાણ,EVMનો પણ કર્યો સપોર્ટ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજીત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મને EVM પર પૂરો ભરોસો છે. કોઈ એક વ્યક્તિ EVMમાં હેરાફેરી નહીં કરી શકે, તે એક મોટી પ્રણાલી છે. હારનારી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ લોકોનો જનાદેશ છે. અજીત પવારને પૂછવામાં આવ્યું કે, MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના મુખપત્ર સામનામાં EVMને લઈને નિશાનો સાધવામાં આવ્યો છે. સામનામાં કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ EVMની જગ્યાએ બેલેટ બોક્સથી ચૂંટણી કરાવવાનો પડકાર આપ્યો.

તેને લઈને અજીત પવારે કહ્યું કે, મને વ્યક્તિગત રૂપે EVM પર પૂરો ભરોસો છે. જો EVM ખરાબ હોત તો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર ન હોત. EVMમાં ફેરફેરી કરવાનું એક વ્યક્તિ દ્વારા સંભવ નથી કેમ કે તે મોટી પ્રણાલી છે. જો કોઈક રીતે સાબિત થઈ જાય છે કે EVMમાં છેડછાડ કરવામાં આવી તો દેશમાં ખૂબ હોબાળો થશે. એટલે મને નથી લાગતું કે એવું કોઈ કરવાની હિંમત કરશે.

તેમણે આગળ કહ્યું કે, ક્યારેક ક્યારેક કેટલાક લોકો ચૂંટણી હારી જાય છે તો તેમને લાગે છે કે તેઓ હારી નહીં શકે અને પછી EVM પર આરોપ લગાવવા લાગે છે અને તેનાથી છુટકારો મેળવી લે છે. પરંતુ એ લોકોનો વાસ્તવિક જનાદેશ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને સાવરકર જેવા મુદ્દા પર NCPનું સ્ટેન્ડ પૂછવા પર અજીત પવારે કહ્યું કે, જે પાર્ટીના માત્ર 2 સાંસદ હતા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં જાણદેશથી સરકાર બનાવી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગઈ તો શું એ મોદીનો ચમત્કાર નથી?

તેમની વિરુદ્ધ ખૂબ નિવેદન આપવામાં આવ્યા, પરંતુ તેઓ હજુ વધારે લોકપ્રિય થઈ ગયા અને તેમના નેતૃત્વમાં ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી. હવે 9 વર્ષ બાદ આ મુદ્દાઓને કાઢવાનો શું ફાયદો? જનતા તેમના કામને જોઈ રહી છે, જ્યાં રાજનીતિમાં શિક્ષણનો સવાલ છે તો તેનું વધારે મહત્ત્વ માનવામાં આવતું નથી. વસંતદાદા પાટીલની જેલ 4 એવા મુખ્યમંત્રી છે જે વધારે ભણેલા-ગણેલા નહોતા, પરંતુ તેમની પ્રશાસન ચલાવવાની રીત શાનદાર હતી. તેમના શાસનકાળમાં ઘણી શિક્ષણ સંસ્થાઓ, કૉલેજ ખોલવામાં આવી. એટલે રાજનીતિમાં ભણેલું-ગણેલું હોવું કોઈ શરત નથી. એટલે આ મામલે મારું સ્ટેન્ડ ક્લિયર છે. તમારે જે અર્થ કાઢવો હોય કાઢી શકો છો. એ મારી ચિંતાનો વિષય નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.