અજીત પવારે પોલીસની 3 એકર જમીનની હરાજી કરી? પૂર્વ કમિશનરના પુસ્તકમાં આરોપ

પૂર્વ IPS અધિકારી અને પૂણેના પૂર્વ પોલીસ કમિશનર મીરા બોરવંકરનું પુસ્તક ‘મેડમ કમિશનર’થી રાજકીય જગતમાં હાહાકાર મચી ગયો છે. તેમણે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે પૂણેના તત્કાલીન સંરક્ષણ મંત્રી અને હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પોલીસના સ્વામિત્વવાળી બેઝકિંમતી 3 એકર જમીન એક પ્રાઇવેટ પાર્ટીને હરાજી કરાવી દીધી. મીરા બોરવંકર આરોપ લગાવ્યો કે, આ નિર્ણય સંરક્ષક મંત્રી દ્વારા લેવામાં આવ્યો હતો અને તત્કાલીન વિભાગીય કમિશનર દ્વારા તેની દેખરેખ કરવામાં આવી હતી.

જો કે, સખત સંઘર્ષ બાદ બોરવંકર જમીન પરત લેવામાં સફળ રહ્યા, પરંતુ અજીત પવારે તત્કાલીન ગૃહ મંત્રી આર.આર. પાટિલ વિરુદ્ધ ઘણા નિવેદન આપ્યા હતા. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તત્કાલીન ગૃહ મંત્રી આર.આર. પાટીલ બોરવંકરની નીતિનોનું સમર્થન કરતા હતા, પરંતુ આ વખત તેમણે ના પાડી દીધી કેમ કે તેમના હાથ બંધાયેલા હતા કેમ કે જિલ્લા મંત્રી (અજીત પવાર) વધુ શક્તિશાળી હતા અને તેમને પોતાના કામ માટે ના સાંભળવાનું પસંદ નહોતું.

પુસ્તકમાં આગળ લખવામાં આવ્યું કે, કિંમતી સરકારી જમીન ખાનગી હાથોને સોંપવામાં નિશ્ચિત રૂપે કૌભાંડ થયો. જેમાં રાજનેતાઓ અને નોકરશાહોને ભારે લાંચ આપવામાં આવી. એક પોલીસ અધિકારીએ બોરવંકરને કહ્યું કે, કોઈ પણ, ન તો અધિકારી અને ન તો મીડિયા, દાદાને ના કહેવાની હિંમત કરે છે. બોરવંકર લખે છે કે જ્યારે તેમણે જમીન સોંપવા માટે મને બોલાવી, તો મેં ના પાડી દીધી. મેં અહી સુધી કહ્યું કે, મારા વિચારે આ પ્રક્રિયા (બોલી લગાવવાની) તૃટીપૂર્ણ હતી અને પોલીસ વિભાગના હિતો વિરુદ્ધ હતી. મંત્રીએ પોતાનો પિત્તો ગુમાવી દીધો અને જમીનનો નકશો કાંચની મેજ પર ફેંકી દીધો.

એમ અનુભવતા કે પોલીસની જમીનને આપવાનો બોરવંકરનો કોઈ ઇરાદો નથી, તો તેના માટે સૌથી ઊચી બોલી લગાવનાર હાઇ કોર્ટ જતો રહ્યો. તેણે પહેલા જ મહારાષ્ટ્ર ગૃહ વિભાગને 1 કરોડની અગ્રિમ ચૂકવણી કરી દીધી હતી. કોર્ટમાં મહારાષ્ટ્ર ગૃહ વિભાગે આ ડીલનો વિરોધ કરવાની ના પાડી દીધી, જ્યારે પોલીસ વિભાગ આ ડીલ વિરુદ્ધ હતો. સરકારી વકીલે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગને સૂચન આપ્યું કે કેસને ખુલ્લી કોર્ટમાં નહીં, પરંતુ આંતરિક રૂપે સમાધાન કરવામાં આવે.

પુસ્તકમાં તેઓ આગળ લખે છે કે થોડા મહિના બાદ જ્યારે પૂણેના બિબવેવાડી વિસ્તારમાં દંગા ભડકી ઉઠ્યા તો જિલ્લા મંત્રીએ એક નાનકડું ટી.વી. ઇન્ટરવ્યૂ આપીને પોતાનો બદલો લઈ લીધો, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે પોલીસ કમિશનને લઈને કંઈક કરવું પડશે. મેં જલદી જ જિલ્લા મંત્રી પાસે મળવાનો સમય માગ્યો. પૂણેના સરકારી ગેસ્ટ હાઉસમાં, મેં તેમની પાસે મરાઠી ટી.વી. ચેનલો પર કરવામાં આવેલી તેમની ટિપ્પણી બાબતે પૂછ્યું તો તેમણે આશ્ચર્યજનક રૂપે તેનાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારના કાર્યાલયે પૂર્વ કમિશનર મીરા બોરવંકરના પુસ્તકમાં તમની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અજીત પવાર ઉપરોક્ત મામલામાં સામેલ નહોતા અને રિપોર્ટમાં ઉલ્લેખિત જમીન સાથે તેમનો કોઈ સંબંધ નથી. તો આ મામલાને લઈને શિવસેના (UBT) નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે એ વિચારવાની જરૂરિયાત છે કે સરકાર ચલાવવા માટે તેઓ કયા પ્રકારના લોકોને પોતાની સાથે લઈને ચાલી રહી છે જે સરકારી જમીન હડપવા માગે છે, હવે ED, EOW અને ફડણવીસ આ બાબતે શું કરશે?

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.