રાહુલ ગાંધીના કાર્બનકોપીનો વીડિયો વાયરલ, ભારત જોડો યાત્રામાં થયો સામેલ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશથી થઇને હરિયાણામાં પ્રવેશ કરી ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે બાગપતના રસ્તે મેરઠ તરફ જવા લાગી તો રાહુલ ગાંધી જેવો દેખાતો વ્યક્તિ ચર્ચામાં આવી ગયો. ફૈસલ ચૌધરી નામનો આ વ્યક્તિ દેખાવમાં એકદમ રાહુલ ગાંધી જેવો લાગી રહ્યો છે. ફૈઝલે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી તેને લોકો રાહુલ ગાંધીનો કાર્બનકોપી કહી રહ્યા છે. ફૈસલ ચૌધરીએ કહ્યું કે, ઘણા લોકો કહે છે કે, તું રાહુલ ગાંધી જેવો દેખાય છે. ઘણા લોકો મારી સાથે ફોટો પડાવે છે, વીડિયો બનાવે છે.

રાહુલ ગાંધી જેવા લાગો છો, સાંભળીને કેવું લાગે છે? આ સવાલ પર ફૈસલ ચૌધરી કહે છે કે, સારું લાગે છે. હું તેમનો કોપી છું. સૌથી મોટી વાત છે કે અમે તેમની પાર્ટીના કાર્યકર્તા છીએ. ફૈસલ ચૌધરીએ જણાવ્યું કે, તે 4 જાન્યુઆરી અને પછી 5 જાન્યુઆરી 2023ના રોજ ભારત જોડો યાત્રામાં સામેલ થયા અને પગપાળા ચાલ્યા. ભારત જોડો યાત્રાથી સારો મેસેજ જશે. તે નફરત વિરુદ્ધ છે. તેમાં બેરોજગારી, ખેડૂતોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે, જે સારી વાત છે.

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઇ હતી. આ યાત્રા 12 રાજ્યોમાંથી થઇને પસાર થઇને જમ્મુ-કાશ્મીર સુધી જવાની છે. રાહુલ ગાંધી અત્યાર સુધી 3 હજાર કિલોમીટર કરતા વધુ પગપાળા ચાલી ચૂક્યા છે. હવે માત્ર 342 કિલોમીટરની યાત્રા બચી છે. હરિયાણા બાદ આ યાત્રા પંજાબ અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચશે. રાહુલ ગાંધીની યાત્રા 5 જાન્યુઆરીના રોજ બાગપતમાં હતી. અહીં તેમણે જનસભામાં કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, તેમની અડધી બાયની ટી-શર્ટ પહેરવાની વાત કરવામાં આવે છે, પરંતુ ખેડૂત શિયાળામાં કામ કરે છે તેની ચર્ચા થતી નથી. ભાજપની પોલિસી હિંદુસ્તાનના યુવાનોને, ખેડૂતોને, મજૂરોને ડરાવવાની પોલિસી છે. નોટબંદી, ખોટી GST, કોરોનાના સમયે જે તેમણે કર્યું તે તમામ પોલિસીઓ ખેડૂતોને, મજૂરોને ડરાવવા માટે છે કેમ કે તેઓ જાણે છે કે જ્યારે તેઓ ડર ફેલાવે છે, એ ડરને નફરતમાં બદલવાનું ખૂબ સરળ હોય છે, આ તેમનું કામ છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, એક વાત સમજી લો. આ તમે બોલેલો ડાયલોગ કે તે મારો ડાયલોગ નથી. તે શિવજીનો ડાયલોગ છે. આ ડાયલોગ- ડરો નહીં, આપણો ધર્મ છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.