કુતરાને કારમાં પુરીને તાજમહેલ જોવા ગયું ફેમેલી, ગરમીના કારણે કુતરાનું મોત

ઉત્તર પ્રદેશના આગરામાં માલિકની બેદરકારીના કારણે પાલતુ કુતરાએ જીવ ગુમાવવો પડ્યો. પર્યટકની કારમાં બંધ એક વિદેશી બ્રીડના કુતરાનું કરૂણ મોત થઇ ગયું. ઘટના તાજમહેલના પશ્ચિમ ગેટ પાર્કિંગની છે. હરિયાણાનું એક પરિવાર પોતાની કાર દ્વારા તાજમહેલ જોવા આવ્યું હતું. કારમાં પરિવાર સાથે તેમનો પાલતુ કુતરો પણ હતો. પર્યટક પરિવારે કુતરાને કારમાં એકલો મુક્યો અને તાજમહેલ જોવા ચાલ્યા ગયા. કાર પાર્કિંગમાં તડકામાં ઉભી રાખી હતી. તડકાના કારણે અંદર કુતરો બેચેન થઇ ગયો અને તડપવા લાગ્યો. આ દરમિયાન તેના ગળામાં બાંધેલી ચેન હેન્ડ બ્રેકમાં ફસાઇ ગઇ અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. થોડા સમય પછી તેનું મોત થઇ ગયું.

આ દરમિયાન પાર્કિંગમાં હાજલ લોકો કાર પાસે આવી ગયા. તેમણે કારની અંદર જોયું તો પાલતુ કુતરો મૃત હાલતમાં હતો. લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને જાણકારી પોલીસને આપી. સૂચના મળતા જ પોલીસ ટીમ મોકા પર પહોંચી અને થોડા સમય પછી હરિયાણાનું પરિવાર તાજમહેલ જોઇને કાર પાસે આવ્યું. પાલતુ કુતરાના મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો.

જ્યારે કુતરો કારમાં તડપતો હતો ત્યારે પાર્કિંગમાં હાજર કર્મચારીઓએ કુતરાનો બહાર કાઢવાની કોશિશ કરી, પણ કાર ઓટોમેટીકલી લોક હોવાના કારણે ખુલી ન શકી, પર્યટકોનો કોઇ કોન્ટેક્ટ નંબર પણ ન હતો. તેથી પાર્કિંગના કર્મચારીઓએ કુતરાના તડપવાનો વીડિયો બનાવી લીધો. ગેટ પાસે પાર્કિંગમાં પર્યટકો કુતરાને ગાડીમાં બંધ કરીને જઇ રહ્યા હતા તો કર્મચારીઓએ તેમને રોક્યા હતા. તેમણે કહ્યું હતું કે, કુતરાને ગરમીના કારણે કારમાં બંધ ન કરો. તેનું મોત થઇ શકે છે. આ વાત ત્યાં હાજર એક ગાઇડે પણ કરી હતી. પણ તે પરિવારે કોઇની વાત ન માની અને કુતરાને કારમાં બંધ કર્યો અને ચાલ્યા ગયા.

પોતાના પાલતુ કુતરાના મોતથી પરિવારના લોકો દુખી થઇ ગયા. બીજી બાજુ પોલીસે કેસની કાયદાકીય કાર્યવાહી કરતા વિદેશી બ્રીડના કુતરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટો મોકલ્યો. પોલીસની ટીમે પરિવાર સાથે પુછપરછ કરી. મોતનું ખરું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકશે. હાલ આ કેસ પર્યટકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.