અંજુ પાકિસ્તાન ગઈ ત્યારથી પિતા મુશ્કેલીમાં, ગામ લોકોએ કહ્યું, નવી જગ્યા શોધી લો

PC: aajtak.in

ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજુ કેસ હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. જ્યાં એક તરફ પાકિસ્તાનથી સોશિયલ મીડિયા પર તેના સતત નવા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં તે ખુશ દેખાઈ રહી છે. તો બીજી તરફ ભારતમાં અંજુના પિતાને તેના જ ગામના લોકો દ્વારા રહેવા માટે નવી જગ્યા શોધી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગામલોકો અંજુના પરિવારને ગામમાંથી કાઢી મૂકવા માંગે છે.

પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન ગયેલી અંજુના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અંજુના પિતા અને પરિવારને હવે ગામની બહાર નીકાળવાની યોજના ઘડાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, અંજુના કારણે ગામની બદનામી થઈ રહી છે, જેના કારણે તેઓ ગયા પ્રસાદ થોમસને નવી જગ્યાએ ઘર શોધી લેવાનું કહી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, પોતાના બાળક અને પતિને ભારતમાં છોડીને અંજુ પાકિસ્તાનમાં તેના કથિત પ્રેમી નસરુલ્લાને મળવા ગઈ છે. પાકિસ્તાનમાંથી અંજુની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, અંજુએ નસરુલ્લા સાથે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, પરંતુ અંજુ અને નસરુલ્લા તરફથી અત્યાર સુધી આવું કોઈ નિવેદન સામે આવ્યું નથી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે, જો અંજુ તેના પિતાને મળવા આવે તો તેઓ શું કરશે. તેના પર જવાબ આવ્યો કે, જો આવી સ્થતિ આવશે તો, તેના પિતા અને પરિવારને પણ ગામની બહાર કાઢી મુકીશું. ગ્રામજનોએ કહ્યું, 'જો કે, ભારત સરકાર આ બાબતે તપાસ કરી રહી છે. પરંતુ અમે તેને અહીં ગામમાં ઘુસવા નહીં દઈએ. વિરોધ કરવાની તો જરૂર જ નથી. કારણ કે અમારા ગામમાં એકજુટતા છે, વાત કરવાની બિલકુલ જરૂર રહેશે જ નહીં. એ તો તે પણ સારી રીતે જાણે છે કે, અમારું ગામ કેવું છે. તેને અહીં ઘુસવા દેવામાં આવશે નહીં.'

અંજુ કેસ પછી પિતા ગયા પ્રસાદ પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેઓ કહે છે, 'ભલે ને તપાસકર્તાઓ આવે. અમારી તપાસ કરે. અમને કોઈ સમસ્યા નથી. અમારી પાસે એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી અને ન તો મારુ વર્તન એવા પ્રકારનું છે. હું એક સાધારણ વ્યક્તિ છું, હું કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. તે કદાચ મારા ખરાબ કર્મનું જ પરિણામ હોય શકે છે. તેથી જ મને આ સજા મળી રહી છે. આ સમયે મારી સાથે શું થઈ રહ્યું છે, તે મારા મનની પીડા કોઈ સમજી શકતું નથી.'

પિતા ગયા પ્રસાદે કહ્યું, 'અંજુના કારણે મારો આખો પરિવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. મારા દીકરાએ નોકરી ગુમાવી દીધી. મારો પરિવાર પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગયો. હવે અમે ફક્ત ભગવાનને એ જ વિનંતી કરીએ છીએ કે, અમને ઉપાડી લે. અમારાથી આ રીતે ગૂંગળાઈને નથી જીવી શકાતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp