લગ્નમાં ગરમ પૂરી ન મળતા કરી દીધો હોબાળો, ખૂબ ચાલ્યા પથ્થર અને હથિયાર, એકની ધરપકડ

ગિરીડિહના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં ખૂબ હોબાળો મચી ગયો. લગ્ન સમારોહમાં આવેલા કેટલાક લોકોએ અચાનક લગ્નનો માહોલ બગાડી દીધો. આ આખી ઘટના શરૂ થઈ ગરમ પૂરી માટે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક યુવક રાત્રે લગભગ 2:00 વાગ્યે ભોજન કરવા માગતા હતા. તેઓ ગરમ પૂરીની ડિમાન્ડ કરે છે અને ન મળવા પર હોબાળો કરવાની શરૂઆત કરી દે છે. આ દરમિયાન આખી લડાઈ બે ગ્રુપમાં વહેચાઈ ગઈ અને લડાઈમાં પથ્થરમારો અને બંદૂકબાજી પણ કરવામાં આવી, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.

જાણો શું છે આખો મામલો?

ઘટના બાબતે કહેવામાં આવી રહ્યું છે કે, આ વિવાદ લગ્ન સમારોહમાં ભોજન ન આપવાના સવાલ પર જાણીજોઇને હોબાળો કરવાની નિયતથી કરવામાં આવ્યો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા યુવક દ્વારા જ આખો વિવાદ ઉત્પન્ન કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, કાલે રાત્રે પટરોડીહમાં શંકર યાદવના ઘરે જાન આવી હતી. આ દરમિયાન રાત્રે લગભગ 2:00 વાગ્યે એક યુવક ખાવા માટે પહોંચી ગયો અને ગરમ પૂરીની ડિમાન્ડ કરવા લાગ્યો. ત્યારબાદ આ આખો વિવાદ ઊભો થઈ ગયો અને ઉપરોક્ત યુવકે બહારથી કેટલાક યુવકોને બોલાવીને હોબાળો કરી દીધો.

ગાળા-ગાળી અને પથ્થરમારો શરૂ કરી દીધો. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ બળની ભારે સંખ્યામાં તૈનાતી કરી દેવામાં આવી. ગત રાતની ઘટના બાદ પોલીસ સાવધાન અવસ્થામાં છે અને વિસ્તારની શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. તો ઘટના બાદ આગામી દિવસે સવે SDOP અનિલ કુમાર સિંહ, મુફસ્સિલ પોલીસ સ્ટેશનના પ્રભારી કમલેશ પાસવાન, નગર પોલીસ સ્ટેશનના પ્રભારી આર.એન. ચૌધરી, ઇન્સ્પેક્ટર વિનય કુમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ બળના જવાનોએ ઘટનાસ્થળ પર આક્રોશિત લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસે એક યુવકને પણ કસ્ટડીમાં લઈ લીધો છે.

પોલીસનું કહેવું છે કે, લગ્ન સમારોહમાં ભોજન ન આપવાના મામલે જાણીજોઇને હોબાળો કરવામાં આવ્યો. કસ્ટડીમાં લેવામાં આવેલા યુવકે વિવાદ ઊભો કર્યો છે. પોલીસનું કહેવું છે કે પટરોડીહમાં શંકર નામના વ્યક્તિના ઘરે જાન આવી હતી. ત્યાં આ ઘટના બની.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.