આખરે છેક 9 વર્ષ પછી ભાજપને કેમ મહિલા આરક્ષણ બિલની યાદ આવી? માયાવતીએ આ માગ કરી

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ પછી ઉત્તર પ્રદેશમામાં પણ આ બિલને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સપા અને બસપાએ આ બિલને સમર્થન આપ્યું છે અને કોંગ્રેસે પણ કહ્યું છે કે તે પસાર થશે. આ બિલમાં મહિલાઓ માટે 33 ટકાઅનામત છે અને તેની અંદર SC, ST અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે પણ પેટા-આરક્ષણ છે.

કેન્દ્ર સરકારે 19 સપ્ટેમ્બર, મંગળવારે 22 ટકા મહિલા આરક્ષણ બિલને લોકસભામાં રજૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં પણ મહિલા અનામત બિલને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સપાએ મહિલા આરક્ષણ પર મુલાયમ સિંહ યાદવની માંગ જાળવી રાખી હતી, જ્યારે પાર્ટીના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી ક્વોટાની માંગનું પુનરાવર્તન કરશે. બીજી તરફ, BSP સુપ્રીમો માયાવતીએ પણ મહિલા અનામતમાં OBC, SC અને ST શ્રેણીની મહિલાઓને અનામત આપવાની માંગ કરી છે.

સમાજવાદીના પ્રવક્તાએ આગળ કહ્યુ કે, મહિલાઓ હવે ભાજપની વિરુદ્ધમાં થઇ ગઇ છે અને ભાજપને ખબર પડી ગઇ છે કે આગામી લોકસભામાં સત્તા મળવાની નથી એટલે 9 વર્ષ પછી મહિલા આરક્ષણ બિલ લઇને આવી છે. સમાજવાદી પાર્ટી બિલને સમર્થન તો કરે છે, પરંતુ મુલાયમ સિંહ યાદવની જે માંગ હતી તે મુજબ અમે માંગ કરીએ છીએ.

કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપુતે કહ્યુ કે મહિલા આરક્ષણ બિલ પાસ કરતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને NDAએ મહિલા સમાજની માંગી માંગવી જોઇએ, કારણ કે તેમણે 9 વર્ષ સુધી મહિલા આરક્ષણ બિલને અટકાવી રાખ્યું હતું.

મહિલા આરક્ષણ બિલ પર ઉત્તર પ્રદેશસરકારના મંત્રી અને BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબીરાની મૌર્યએ કહ્યું કે આ બિલ આવવાથી જે મહિલાઓ કોઈ કારણસર રાજનીતિમાં નહોતી આવી રહી હતી તે હવે આવી શકશે. તેમણે કહ્યું કે આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમને આ વાત યાદ નહોતી આવી.તેમના પરિવારની મહિલાઓ જ કેમ આગળ વધી રહી હતી?

UPમાં ભાજપની સાથી પાર્ટી સુભાસાએ પણ આ બિલનું સ્વાગત કર્યું છે. સુભાષપાના પ્રવક્તા અરુણ રાજભરે કહ્યું કે મોદી કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. હવે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત હશે.

BSP સુપ્રીમો માયાવતીએ પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. માયાવતીએ કહ્યું કે બસપાની સાથે સાથે મોટાભાગની પાર્ટીઓ મહિલા આરક્ષણ બિલના પક્ષમાં મતદાન કરશે. અમને આશા છે કે આ વખતે ચર્ચા બાદ આ બિલ પાસ થઈ જશે. કારણ કે તે લાંબા સમયથી પેન્ડિંગ હતું. તેમણે કહ્યું કે મારી પાર્ટીએ સંસદમાં કહ્યું છે કે મહિલાઓની વસ્તીને ધ્યાનમાં રાખીને મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં પ્રસ્તાવિત 33 ટકાને બદલે 50 ટકા અનામત મળવી જોઈએ.માયાવતીએ કહ્યું કે મને અપેક્ષા છે કે સરકાર એ બાબતે વિચારશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.