શું છે અમૃત કાળ, બજેટ ભાષણમાં નાણા મંત્રીએ શા માટે કર્યો તેનો ઉપયોગ?

નાણાકીય વર્ષ 2023-24 માટે ફાયનાન્સિયલ મિનિસ્ટર નિર્મલા સીતારમન સંસદમાં ભાષણ આપી રહ્યા છે. આ બજેટ સ્પીચમાં તેમણે ઘણા વર્ગ માટે આવનારા વર્ષોમાં કરવામાં આવનારા કામો વિશે માહિતી આપી છે. આ સાથે જ એક શબ્દ અમૃત કાળની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. શું તમે જાણો છો કે આખરે બજેટ ભાષણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમૃત કાળ આખરે શું છે? તેનો શો મતલબ છે? આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શબ્દનો ઉપયોગ કરી ચુક્યા છે. તો તમે પણ જાણી લો કે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો હતો અને એ પણ જાણી લો કે આ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ શબ્દનો ઉપયોગ 75માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં કર્યો હતો. તે સમયે જ તેમણે 25 વર્ષો માટે દેશ માટે નવો રોડમેપ જાહેર કર્યો હતો. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમૃત કાળનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોના જીવનમાં સુધાર કરવાનો છે. અહીંના ગામડાંઓ અને શહેરોની વચ્ચે જે વિભાજન છે, તેને દૂર કરવાનું છે અને લોકોના જીવનમાં સરકારના હસ્તક્ષેપને ઓછું કરવાનું છે. આ ઉપરાંત, નવી નવી ટેકનોલોજીનું સ્વાગત કરવાનું છે.

તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અહીંથી આવનારા 25 વર્ષની યાત્રા, નવા ભારતનો અમૃત કાળ છે. આ અમૃત કાળ આપણા સંકલ્પોની પૂર્તિ કરશે અને આપણને આઝાદીના 100 વર્ષો સુધી લઈ જશે, ભારતે ઝડપથી પ્રગતિ કરી છે, એવામાં વિકાસની સંતૃપ્તિ થવી જોઈએ અને દરેક ગામમાં રસ્તાઓ હોવા જોઈએ. આ ઉપરાંત, તમામ પરિવારો પાસે બેંક ખાતુ હોય અને દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિ પાસે સ્વાસ્થ્ય વીમા કાર્ડ અને ગેસ કનેક્શન હોવું જોઈએ.

અમૃત કાળ શબ્દ ખૂબ જ પ્રાચીન શબ્દ છે. તેની ઉત્પત્તિ વૈદિક જ્યોતિષથી માનવામાં આવે છે. અમૃત કાળનો મતલબ થાય છે કે, જ્યારે અમાનવીય, દેવદૂતો અને મનુષ્યો માટે વધુમાં વધુ સુખના દ્વાર ખૂલે છે. નવું કાર્ય શરૂ કરવા માટે અમૃત કાળને સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.