ઘરમાં આગ, 15 ભડથું: સ્વજનોના મોતથી અજાણ દીકરીએ ચુપચાપ લીધા 7 ફેરા

આશીર્વાદ ટાવરમાં લાગેલી આગએ દુ:ખનું એવું દ્રશ્ય રજૂ કર્યું કે, લોકોના હૈયા કંપી ઉઠ્યા. માસુમ બાળકોના મૃતદેહો જોઈને લોકોના હૃદય હચમચી ઉઠ્યા હતા. ચોથા માળે રહેતા સુબોધ લાલ શ્રીવાસ્તવની પુત્રી સ્વાતિના લગ્ન મંગળવારે જ થયા હતા. અગ્નિએ એવો વિનાશ વેર્યો કે આંખના પલકારામાં લગ્નનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો.

સુબોધ શ્રીવાસ્તવની પુત્રીના લગ્ન મંગળવારે ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં હતા. પરંતુ દીવાની એક ચિંગારીએ આખા ઘરને આગને હવાલે કર્યું, તેમાં કન્યાની માતા, બહેન, દાદા અને કાકી સહિત 15 લોકોના જીવ લીધા હતા. જ્યારે, કન્યા સ્વાતિ આ બનાવ અંગે સંપૂર્ણપણે અજાણ હતી કે તેના ઘરમાં આટલી મોટી દુર્ઘટના બની છે. તેને એવું પણ કહેવામાં આવ્યું ન હતું કે તેના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે.

જે સમયે એપાર્ટમેન્ટમાં આગ લાગી તે સમયે દુલ્હન બનેલી સ્વાતિ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી. સ્વાતિને તેની માતા અને પરિવારના અન્ય સભ્યોના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી. અહીં, વરરાજા સૌરભ લગ્ન માટે ગિરિડીહ ન્યૂ બરગંડા આશ્રમ રોડથી ધનબાદ પહોંચ્યો હતો. ધનસર મોડ પાસે આવેલી હોટલ સિદ્ધિ વિનાયક ખાતે વરયાત્રા કાઢવામાં આવી હતી. મોડી રાત્રે દુ:ખથી અજાણ સ્વાતિએ સૌરભ સાથે સાત ફેરા લીધા. સ્વાતિ વારંવાર માતા વિશે પૂછી રહી હતી, પણ તેને કહેવામાં આવ્યું કે માતા ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે.

કન્યાને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં આગ લાગી હતી અને તેની માતા ઘાયલ થઈ હતી. આ સાંભળીને તેના ચહેરા પરનું સ્મિત સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. મંગળવારની રાત્રે લગ્ન સ્થળ સિદ્ધિ વિનાયકમાં ન જાનૈયાઓનું સ્વાગત થયું કે ન જયમાલાની વિધિ, બંનેમાંથી કોઈ વિધિ કરવામાં આવી ન હતી. સીધી લગ્નની વિધિઓ તરત જ શરૂ થઈ ગઈ. આ બધું બનતું જોઈને કન્યા સ્વાતિ આંખમાં પ્રશ્નો સાથે ચુપચાપ તે બધું કરતી ગઈ હતી. તેની આંખો વારંવાર માતા, ભાઈ અને અન્યને શોધતી હતી. પરંતુ તે ચૂપચાપ લગ્નની વિધિઓ કરતી રહી.

અહીં તમને જણાવી દઈએ કે, ધનબાદના જોરાફાટક શક્તિ મંદિર રોડ પર સ્થિત આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મંગળવારે સાંજે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી. આ એપાર્ટમેન્ટમાં રહેતા સુબોધ લાલની પુત્રીના લગ્ન હતા. હજારીબાગ અને બોકારોના સંબંધીઓ તેના ઘરે આવ્યા હતા. આગને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ધનબાદના ડેપ્યુટી કમિશનર સંદીપ કુમારે જણાવ્યું કે, આશીર્વાદ એપાર્ટમેન્ટમાં પૂજા ચાલી રહી હતી તે દરમિયાન એક નાનકડા સ્પાર્કથી આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે 15 લોકો તેની ઝપટમાં આવી ગયા હતાં. તેણે જણાવ્યું કે, જ્યારે એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં રહેતા લગભગ 100 લોકો ટેરેસ તરફ દોડી ગયા હતાં. તેઓ બધા સુરક્ષિત છે. પરંતુ આગ ઓલવવાનો પ્રયાસ કરતા તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.