ઘરમાં આગ, 15 ભડથું: સ્વજનોના મોતથી અજાણ દીકરીએ ચુપચાપ લીધા 7 ફેરા

આશીર્વાદ ટાવરમાં લાગેલી આગએ દુ:ખનું એવું દ્રશ્ય રજૂ કર્યું કે, લોકોના હૈયા કંપી ઉઠ્યા. માસુમ બાળકોના મૃતદેહો જોઈને લોકોના હૃદય હચમચી ઉઠ્યા હતા. ચોથા માળે રહેતા સુબોધ લાલ શ્રીવાસ્તવની પુત્રી સ્વાતિના લગ્ન મંગળવારે જ થયા હતા. અગ્નિએ એવો વિનાશ વેર્યો કે આંખના પલકારામાં લગ્નનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો.

સુબોધ શ્રીવાસ્તવની પુત્રીના લગ્ન મંગળવારે ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં હતા. પરંતુ દીવાની એક ચિંગારીએ આખા ઘરને આગને હવાલે કર્યું, તેમાં કન્યાની માતા, બહેન, દાદા અને કાકી સહિત 15 લોકોના જીવ લીધા હતા. જ્યારે, કન્યા સ્વાતિ આ બનાવ અંગે સંપૂર્ણપણે અજાણ હતી કે તેના ઘરમાં આટલી મોટી દુર્ઘટના બની છે. તેને એવું પણ કહેવામાં આવ્યું ન હતું કે તેના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે.

જે સમયે એપાર્ટમેન્ટમાં આગ લાગી તે સમયે દુલ્હન બનેલી સ્વાતિ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી. સ્વાતિને તેની માતા અને પરિવારના અન્ય સભ્યોના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી. અહીં, વરરાજા સૌરભ લગ્ન માટે ગિરિડીહ ન્યૂ બરગંડા આશ્રમ રોડથી ધનબાદ પહોંચ્યો હતો. ધનસર મોડ પાસે આવેલી હોટલ સિદ્ધિ વિનાયક ખાતે વરયાત્રા કાઢવામાં આવી હતી. મોડી રાત્રે દુ:ખથી અજાણ સ્વાતિએ સૌરભ સાથે સાત ફેરા લીધા. સ્વાતિ વારંવાર માતા વિશે પૂછી રહી હતી, પણ તેને કહેવામાં આવ્યું કે માતા ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે.

કન્યાને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે, ઘરમાં આગ લાગી હતી અને તેની માતા ઘાયલ થઈ હતી. આ સાંભળીને તેના ચહેરા પરનું સ્મિત સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. મંગળવારની રાત્રે લગ્ન સ્થળ સિદ્ધિ વિનાયકમાં ન જાનૈયાઓનું સ્વાગત થયું કે ન જયમાલાની વિધિ, બંનેમાંથી કોઈ વિધિ કરવામાં આવી ન હતી. સીધી લગ્નની વિધિઓ તરત જ શરૂ થઈ ગઈ. આ બધું બનતું જોઈને કન્યા સ્વાતિ આંખમાં પ્રશ્નો સાથે ચુપચાપ તે બધું કરતી ગઈ હતી. તેની આંખો વારંવાર માતા, ભાઈ અને અન્યને શોધતી હતી. પરંતુ તે ચૂપચાપ લગ્નની વિધિઓ કરતી રહી.

અહીં તમને જણાવી દઈએ કે, ધનબાદના જોરાફાટક શક્તિ મંદિર રોડ પર સ્થિત આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મંગળવારે સાંજે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી. આ એપાર્ટમેન્ટમાં રહેતા સુબોધ લાલની પુત્રીના લગ્ન હતા. હજારીબાગ અને બોકારોના સંબંધીઓ તેના ઘરે આવ્યા હતા. આગને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ધનબાદના ડેપ્યુટી કમિશનર સંદીપ કુમારે જણાવ્યું કે, આશીર્વાદ એપાર્ટમેન્ટમાં પૂજા ચાલી રહી હતી તે દરમિયાન એક નાનકડા સ્પાર્કથી આગ લાગી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે 15 લોકો તેની ઝપટમાં આવી ગયા હતાં. તેણે જણાવ્યું કે, જ્યારે એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં રહેતા લગભગ 100 લોકો ટેરેસ તરફ દોડી ગયા હતાં. તેઓ બધા સુરક્ષિત છે. પરંતુ આગ ઓલવવાનો પ્રયાસ કરતા તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.