પહેલા અદાણી, પછી DyCM ફડણવીસ... રાજ ઠાકરેએ એક દિવસમાં બે બેઠકો કરી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે રાજ્યના DyCM દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન સાગર બંગલામાં મળ્યા હતા. બંને નેતાઓએ મળીને લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી. આ બેઠક પહેલા રાજ ઠાકરે મંગળવારે સાંજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. ગૌતમ અદાણીએ રાજ ઠાકરે સાથે તેમના દાદર નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ એક જ દિવસમાં બે મહત્વપૂર્ણ બેઠકો કરી છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રાજ ઠાકરે અને DyCM દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને મળ્યા હતા.

દિવાળીની પૂર્વસંધ્યાએ, MNS વડા રાજ ઠાકરેએ CM એકનાથ શિંદે અને DYCM દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવાજી પાર્કમાં પાર્ટી દ્વારા આયોજિત દીપ ઉત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે CM એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી અહીં સાથે આવવા ઈચ્છતા હતા, પરંતુ કેટલાક કારણોસર આવું થઈ શક્યું નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, રાજ ઠાકરે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ ઓક્ટોબર મહિનામાં જ બે વાર મળ્યા હતા. જાણકારોનું માનીએ તો, બંને નેતાઓની બેઠક BMC ચૂંટણીમાં બંને પક્ષોના ગઠબંધન તરફ સંકેત આપી રહી છે.

MNS અને BJP નેતા વચ્ચે વધતી જતી નિકટતા વચ્ચે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં BJP બાલાસાહેબચી શિવસેના અને MNS મહા વિકાસ અઘાડી, જેમાં ઉદ્ધવની શિવસેના, NCP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, સામે ટક્કર થશે. જો કે MNS નેતા સંદીપ દેશપાંડે પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, અમે આગામી ચૂંટણીની તૈયારી પોતાના દમ પર પુરી તાકાત સાથે કરી રહ્યા છીએ. જો કે ભવિષ્યમાં શું થશે તેની આગાહી કરી શકાતી નથી, કારણ કે અમારી પાર્ટીના સુપ્રીમો રાજ ઠાકરે અંતિમ નિર્ણય લેશે અને અમે તેનું પાલન કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે છેલ્લા દોઢ દાયકાથી એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે અને તેનો તેમને અત્યાર સુધી કોઈ ખાસ ફાયદો મળ્યો નથી. આવી સ્થિતિમાં જો રાજ ઠાકરે BJP સાથે હાથ મિલાવશે તો કદાચ તેમની પાર્ટીને સારી લીડ મળી શકે એમ છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.