શું તમે ITRમાં આવકની ખોટી જાણકારી આપી છે? જાણી લો નાણા મંત્રીની આ જાહેરાત

કેટલાક લોકો ઇનકમ ટેક્સ બચાવવાના ચક્કરમાં ઇનકમ ટેક્સ વિભાગને આવકના સોર્સ અને આવક સાથે જોડાયેલી ખોટી જાણકારી આપી દે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ પાસે ઉપલબ્ધ જાણકારી અને જાહેર કરેલી આવકમાં તાલમેળ ન હોવાના આધાર પર મોકલવામાં આવેલી એક લાખ ઇનકમ નોટિસનું આંકલન માર્ચ 2024 સુધી પૂરું કરી લેવામાં આવશે. ઇનકમ ટેક્સ વિભાગ પોતાની પાસે ઉપલબ્ધ જાણકારી અને વ્યક્તિગત કરદાતાઓ તરફથી ઇનકમ રિટર્ન (ITR)માં આપવામાં આવેલી જાણકારી વચ્ચે તાલમેળ ન હોવા પર 50 લાખ કરતા વધુ આવકવાળા લગભગ એક લાખ લોકોને નોટિસ મોકલી છે.

એ સિવાય વિભાગ તરફથી ટેક્સ રિટર્ન જમા ન કરનારા લોકોને પણ નોટિસ મોકલવામાં આવી છે. નિર્મલા સીતારમણે 164માં ઇનકમ દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ મને અશ્વાસ્ત કરી છે કે, માર્ચ 2024 સુધી બધી એક લાખ નોટિસ પર કાર્યવાહી કરી લેવામાં આવશે. આ નોટિસ 50 લાખ રૂપિયા કરતા વધુની આવકવાળા લોકોને વિભાગ પાસે ઉપલબ્ધ જાણકારીઓના આધાર પર જાહેર કરવામાં આવી છે.

આવકના કાયદા હેઠળ વિભાગ 6 વર્ષ સુધીના કર વિવરણોને ફરી આંકલન કરી શકાય છે. તેના પર નિર્મલા સીતારમણે કહ્યું કે, હવે 6 વર્ષ બાદ કોઈ પણ વ્યક્તિના ટેક્સ અસેસમેન્ટને ફરી ખોલવામાં નહીં આવે. ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષમાં પણ ફરી આંકલન માત્ર કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે. તેમણે કહ્યું કે, પ્રખુય મુખ્ય કમિશનર સ્તરના અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ આ કેસ ફરી ખોલવામાં આવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, CBDTએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મોકલેલી 55 હજાર નોટિસની સમીક્ષાનું કામ મે 2023માં પૂરું કરી લીધું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આજના સમયમાં CBDT મોકલવામાં આવેલી નોટિસ પર બેસી નથી. એ વિવેકાધિકારવાળી જગ્યા નથી. એવી જગ્યા નથી જ્યાં વ્યવસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે. તે કદમ સ્પષ્ટ નજરિયો છે. આવકના દરોમાં વધારો ન કરવા છતા ઇનકમ ટેક્સ વિભાગના સક્ષમ હોવા સાથે મહેસૂલ વધી રહી છે. સરકાર કરાધાન અને તેના દરોને લોકોને અનુકૂળ બનાવવાનો વિચાર રાખે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.