રસ્તાઓ અને ગટર જેવા નાના મુદ્દાઓને બદલે 'લવ જેહાદ' પર ધ્યાન આપો: BJP અધ્યક્ષ

કર્ણાટક BJP અધ્યક્ષ નલિન કુમાર કતિલના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને રસ્તા અને ગટર જેવા વિકાસ કાર્યોને બદલે 'લવ જેહાદ' પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. કતિલે સોમવારે મેંગલુરુમાં બૂથ વિજય અભિયાનના ભાગરૂપે BJPના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, 'રસ્તા અને ગટર જેવા નાના મુદ્દાઓ પર વાત ન કરો. જો તમે તમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરતા હોવ અને લવ જેહાદને રોકવા માંગતા હોવ તો તમારે BJPની જરૂર છે. લવ જેહાદથી છુટકારો મેળવવા માટે BJPની જરૂર છે.'

કતિલે કહ્યું કે, BJP એકમાત્ર એવી પાર્ટી છે જે 'લવ જેહાદ' વિરુદ્ધ કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું, 'BJP જ ગોહત્યા વિરુદ્ધ કાયદો લાવ્યો અને ધર્માંતરણ વિરુદ્ધ કાયદો લાવી. લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવનાર BJP જ હશે. 'લવ જેહાદ' એવો શબ્દ છે જેનો ઉપયોગ ફક્ત ભારતીય જનતા પાર્ટી (BJP) પોતે જ કરે છે. જમણેરી નેતાઓ તેને બળ અથવા યુક્તિ દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ કહે છે.

પ્રદેશ BJP અધ્યક્ષે પાર્ટીના કાર્યકરોને પૂછ્યું કે, શું કર્ણાટકના લોકો 'નવા કર્ણાટક' (નવું કર્ણાટક) ઈચ્છે છે કે 'આતંકવાદીઓ વાળુ કર્ણાટક'. તેમણે કોંગ્રેસને 'આતંકવાદીઓની પાર્ટી' ગણાવી હતી. નલિન કુમાર કતિલે KPCC પ્રમુખ DK શિવકુમાર પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ આતંકવાદીઓના સમર્થનમાં બોલ્યા હતા. તેમણે વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને શિવકુમાર સહિત કોંગ્રેસના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

કતિલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવકુમારે મંગળવારે કહ્યું કે, BJP આવી ટિપ્પણીઓથી નફરત ફેલાવવા માંગે છે. તેમણે કહ્યું કે, BJPના નેતાઓ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવકુમારે કહ્યું, 'આ ખૂબ જ ખરાબ સંદેશ છે. તેઓ વિકાસને પ્રાથમિકતા આપતા નથી તેનો આ સ્પષ્ટ પુરાવો છે. BJPના નેતાઓ નફરત ફેલાવવા અને દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે વિકાસ, રોજગાર, ભૂખમરાની સમસ્યા અને મોંઘવારી પર ધ્યાન આપી રહ્યા છીએ. તેઓ માત્ર લોકોની ભાવનાઓ સાથે રમત કરી રહ્યા છે.'

કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયંક ખડગેએ પણ પ્રદેશ BJP અધ્યક્ષના નિવેદન પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા BJP પાસે લોકોને બતાવવા માટે કંઈ નથી. તેથી તેઓ મતદારોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખડગેએ કહ્યું, 'BJP અધ્યક્ષનો સંદેશ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. એ લોકો પાસે બતાવવા માટે કંઈ નથી. તેથી તેઓ ચૂંટણીમાં ધ્રુવીકરણનો આશરો લેવા જઈ રહ્યા છે. છેવટે, BJPને ક્યારેય રાજ્યના વિકાસની કે યુવાનોના ભવિષ્યની વાત કરતા સાંભળવામાં આવ્યા નથી.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.