દેશમાં પહેલીવાર સમુદ્રની અંદર બનશે 7 કિમી લાંબી ટનલ, દોડશે અમદાવાદ...

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન ચલાવવા માટે સમુદ્રની અંદર 7 કિલોમીટર લાંબી ટનલ બનશે. આ દેશમાં બનનાર પ્રથમ સમુદ્રી ટનલ હશે. NHSRCL એ ટેન્ડર આમંત્રિત કર્યા છે. એમ તો, ટનલ 21 કિલોમીટર લાંબી રહેશે, પણ આનો 7 કિલોમીટરનો ભાગ સમુદ્રની અંદર રહેશે. અંડર-સી ટનલનું નિર્માણ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ અને શિલફાટામાં અંડર ગ્રાઉન્ડ સ્ટેશનની વચ્ચે કરવામાં આવશે. ટનલ બોરિંગ મશીન અને ન્યૂ ઓસ્ટ્રીયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને ટનલનું નિર્માણ કરવામાં આવશે.

મુંબઈ-અમદાવાદની વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ લાઈન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ છે. થાણેની ખાડીમાં 7 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. બૂલેટ ટ્રેન આ ટનલ માંથી 300 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પસાર થશે, આ ટનલ એક ટ્યૂબમાં રહેશે. ટનલમાં બે ટ્રેક હશે, જે આમાં આવતી અને જતી ટ્રેનો માટે રહેશે. આટલું જ નહીં, સમુદ્રી ટનલની આજુબાજુ 37 જગ્યાઓ પર રૂમ પણ બનાવવામાં આવશે.

NHSRCLએ ગત વર્ષે નવેમ્બરમાં પણ ભૂમીગત ટનલ નિર્માણ કાર્યો માટે બોલીઓ આમંત્રિત કરી હતી, પણ પછી પ્રશાસનિક કારણોનો હવાલો આપીને રદ્દ કરી દીધી હતી. દેશમાં બનનાર પહેલી અંડર-સી ટનલ જમીનથી અંદાજે 25 થી 65 મીટર નીચે રહેશે, સૌથી વધુ ઊંડાણ શિલફાટાની નજીક પારસિક પહાડીથી 114 મીટર નીચે રહેશે.

NHSRCL સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર, BKC (પેકેજ C1 હેઠળ), વિક્રોલી અને સાવલીમાં ટનલનું ઊંડાણ ક્રમશ: 36,56 અને 39 મીટર રહેશે અને ત્રણ શિફ્ટના માધ્યમથી નિર્માણ કરવામાં આવશે. આવી રીતે ઘનસોલીમાં 42 મીટરનું ઇન્કલીનેડ શાફ્ટના માધ્યમથી સમુદ્રી ટનલનું નિર્માણ કરવામાં આવશે.

વિક્રોલી અને સાવલીમાં ટનલની ઊંડાણ 36,56 અને 39 મીટર, જ્યારે ઘનસોલીમી 42 મીટર વળેલું શાફ્ટ અને શિલફાટામાં ટનલ પોર્ટલ NTM ટનલિંગ વિધિના માધ્યમથી 5 કિમી ટનલનું નિર્માણ કરવામાં આવશે. ટનલના નિર્માણ માટે 13.1 મીટર વ્યાસની કટર હેડ ધરાવતી ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.

રેલવે મંત્રાલયને આશા છે કે, વર્ષ 2026મા બૂલેટ ટ્રેનનું પહેલું ટ્રાયલ રન થશે. 508 કિમીમાંથી 352 કિમી માર્ગ ગુજરાતના ભાગમાં છે. હાઈ-સ્પીડ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે. PM મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, આમાં 1.08 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.