વિદેશની સરકારે 2 સંતાનોની કસ્ટડી છીનવી લીધી, ભારતીય માતાએ જીવન ટુંકાવ્યુ

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં સેટલ થયેલા એક ભારતીય દંપતિના 2 બાળકોની કસ્ટડી ત્યાંની સરકારે છીનવી લેતા વ્યથિત થયેલી માતાએ ભારતમાં આવીને જીવન ટુંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે મૂળ કર્ણાટકના ધારવાડમાં રહેતી પ્રિયદર્શીની પાટીલ તેના પતિ સાથે વર્ષોથી ઓસ્ટ્રેલિયાના સીડનીમાં સેટલ થઇ હતી. પતિ-પત્ની બંને આઇટી એન્જિનિયર હતા. પ્રિયદર્શીનીએ ઓસ્ટ્રેલિયમાં જ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામા જન્મ થયો હોવાથી બંને સંતાનો ત્યાંના સિટીઝન હતા.

આમ તો ઓસ્ટ્રેલિયામાં બધું સારું હતું, પરંતુ વાત એમ બની હતી કે પ્રિયદર્શીનના 17 વર્ષના પુત્રને કોઇ બિમારી થઇ હતી અને ઓસ્ટ્રેલિયામાં સારવાર ચાલી રહી હતી.

પુત્રની તબિયત સુધરવાને બદલે દિવસેને દિવસે કથળતી જતી હતી. આ જોઇને પ્રિયદર્શીનેએ ડોકટર સામે કેસ દાખલ કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય મહિલા પ્રિયદર્શીની સામે જ આકરા પગલાં લીધા અને બાળકોની યોગ્ય સંભાળ નથી રાખી રહ્યા એમ કરીને તેના બંને સંતાનોની કસ્ટડી છીનવી લીધી હતી.

હવે જે બાળકોને આટલા વર્ષોથી વ્હાલથી ઉછેર્યા હોય અને સરકાર માતાથી સંતાનોને જુદા કરી દે તો કોઇ પણ માતાની હાલત બગડી જાય. પ્રિયદર્શીની પણ બાળકોની કસ્ટડી છીનવાઇ જવાથી વ્યથિત થઇ ગઇ હતી. બાળકોની કસ્ટડી મેળવવા માટે પ્રિયદર્શીની અને તેના પતિએ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળી.

આખરે 18 ઓગસ્ટે પ્રિયદર્શીની એકલી ભારત આવવા નિકળી હતી. સિડનીથી બેંગલુરુ ફલાઇટમાં આવેલી પ્રિયદર્શનીએ બેંગલુરુથી ધારવાડ જવા માટે બસની ટિકીટ બુક કરાવી હતી, પરંતુ તે આ બસમાં બેઠી જ નહોતી. પ્રિયદર્શીનીએ તેને બદલે હુબલીની બસ પકડી હતી અને એક કુરિયર ઓફિસે જઇને પોતાની પાસેની જે રોકડ રકમ અને દાગીના પોતાના માતા-પિતાના સરનામે મોકલી આપ્યા હતા. આની સાથે પ્રિયદર્શનીએ એક લેટર પણ મોકલ્યો હતો.

પ્રિયદર્શીની ઘરે પહોંચી નહીં એટલે માતા-પિતાએ તેણીના ગુમ થયાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી તો પોલીસને પ્રિયદર્શીનીની લાશ હુબલીના મુનાવ્લીની એક નદીમાંથી મળી હતી.

પ્રિયદર્શીનીએ લેટરમાં લખ્યુ હતું કે, બંને બાળકોની કસ્ટડી છીનવાઇ જવાને કારણે માનસિક રીતે ભાંગી પડી છે. પતિને પ્રિયદર્શનીના આપઘાતના સમાચાર મળતા તે ભારત આવ્યો હતો અને તે પછી તેણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.