પૂર્વ સાંસદ પપ્પુ યાદવે કહ્યું- BJP સત્તા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે

હજુ થોડા દિવસો પહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકે દાવો કર્યો હતો કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર પર બોંબ ફેંકાવી શકે છે. હવે બિહારના નેતા અને એક જમાનામાં લાલુ પ્રસાદ યાદવના ખાસ ગણાતા પપ્પુ યાદવે દાવો કર્યો છે કે, ભાજપ સત્તા મેળવવા માટે રામ મંદિર પર હુમલો કરાવી શકે છે. સીતમઢીમાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આરોપ મુકતા કહ્યુ હતું કે, ગોધરા  અને પુલવામાં જેવી ઘટનાઓને સત્તા મેળવવા માટે જ અંજામ આપવામાં આવ્યો હતો.

બિહારમાં જન અધિકાર પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવ શુક્રવારે મનિયાડીહ ગામ પહોંચ્યા હતા. તેઓ હરિયાણા ગુરુગ્રામની હિંસામાં ભોગ બનેલા હાફિઝ સાદના પરિવારને મળવા આવ્યા હતા. એ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા પપ્પુ યાદવે આરોપુ મુક્યો હતો કે ગોધરા અને પુલવામાં જેવી ઘટનાઓને અંજામ આપીને સત્તામાં આવેલી ભાજપ રામ મંદિર પર પણ હુમલો કરાવી શકે છે. તેમણે હાફિઝ સાદની હત્યાને ભારતના બંધારણની હત્યા તરીકે લેખાવી હતી.

પપ્પુ યાદવે કહ્યું કે 9 વર્ષના શાસનમાં ભાજપ બંધારણની ધજિયા ઉડાવી રહી છે.તે RSSના ઈશારે કામ કરે છે. દેશમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવો એ ભાજપનું જ કામ છે. નાથુરામ ગોડસેએ જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી ત્યારે જ દેશના બંધારણની હત્યા કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં દલિતો, લઘુમતી અને પછાત લોકોની ઇજ્જત સાથે ખિલવાડ થઇ રહ્યો છે.

પૂર્વ સાસંદ પપ્પુ યાદવે આગળ કહ્યું કે,મણિપુરમાં એક દલિત મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ટ્રેનમાં જાતિ અને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવે છે. દેશમાં આવી અનેક ઘટનાઓ બની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ છે. યાદવે હાફિઝના હત્યારાને ફાંસીની સજાની માંગ કરી હતી. જો કે, પપ્પુ યાદવે હરિયાણામાં બજરંગ દળના સરઘસ પર કોણે હુમલો કર્યો, વાહનોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું તેના પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ માટે તેમણે સીધો ભાજપ અને ત્યાંની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.

પપ્પુ યાદવે મૃતક હાફિઝ સાદના પરિવારજનોને રોકડા 50,000 રૂપિયાની સહાય કરી હતી અને સાદની 3 બહેનોના લગ્નનો ખર્ચ અને નાના ભાઇના શિક્ષણની જવાબદારી લેવાની પણ વાત કરી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.