મમતા બેનર્જી પર કાર્ટૂન બનાવેલું, 10 વર્ષ સુધી પ્રોફેસરે કાયદાકીય લડાઈ લડી

CM મમતા બેનર્જીનું કાર્ટૂન શેર કરવાના મામલામાં એક પ્રોફેસરને 10 વર્ષ સુધી કાનૂની લડાઈ લડવી પડી અને અંતે તેમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. 2012માં, તેમના પર પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન મુકુલ રોય વિશે અપમાનજનક કાર્ટૂન ફોરવર્ડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને 18 જાન્યુઆરીએ અલીપુર જિલ્લા અદાલતે નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારની ડિસ્ચાર્જ અરજી સ્વીકારવામાં આવે છે અને અંબિકેશ મહાપાત્રાને મુક્ત કરવામાં આવે છે.

વાસ્તવમાં જાદવ યુનિવર્સિટીના પ્રોફેસર મહાપાત્રાએ સત્યજીત રેની ફિલ્મ 'સોનાર કેલ્લા' પર આધારિત એક કાર્ટૂન શેર કર્યું હતું. જેમાં તત્કાલીન રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદી, મમતા બેનર્જી અને મુકુલ રોયના ચહેરા સાથે બદલી કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તે જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી. નિર્દોષ જાહેર થયા બાદ મહાપાત્રાએ કહ્યું કે, હું આમાંથી બહાર આવીને ખુશ છું. પણ મને આટલા વર્ષો પાછા કોણ લાવીને આપશે. આ મામલો કોઈપણ કારણ વગર આટલો લાંબો સમય સુધી ખેંચવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, અમે કાર્ટૂનનો કોલાજ અને કેટલાક ડાયલોગ શેર કર્યા હતા. તે સમયે રેલ મંત્રી રહેલા દિનેશ ત્રિવેદીએ રેલ બજેટ રજૂ કર્યું હતું અને CM મમતા બેનર્જી તેના કેટલાક મુદ્દાઓ પર સહમત ન હતા. ત્યારે ડૉ.મનમોહન સિંહ PM હતા. CM મમતા બેનર્જીએ PM પર દબાણ બનાવ્યું અને મુકુલ રોયને રેલ્વે મંત્રી બનાવી દેવામાં આવ્યા. રેલ બજેટ રજૂ થતાંની સાથે જ રેલ્વે મંત્રી બદલી નાંખવામાં આવે તે અણધારી ઘટના હતી. આ મુદ્દા પર તે કાર્ટૂન હતું.

તેમણે કહ્યું કે, તે કાર્ટૂન પણ બીજા કોઈએ તેને મોકલ્યું હતું. આ પછી તેને જીમેલ પર ફ્રેન્ડ ગ્રુપમાં તેને મોકલી આપ્યું. ધરપકડની રાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે દિવસે 60-70 TMC કાર્યકર્તાઓ સંપૂર્ણ યોજના સાથે આવ્યા હતા. મારા નિયમ મુજબ હું જાદવપુર યુનિવર્સિટીમાં મારી ઓફિસમાં બેઠો હતો. એક્સ્ટ્રા ક્લાસને કારણે મને મોડું થયું. તે પછી તેઓએ મારો રસ્તો રોકી દીધો. તે પછી તેઓએ તે કાર્ટૂનની પ્રિન્ટેડ કોપી બતાવી અને મને મારવાનું શરૂ કર્યું. મને લાત અને મુક્કા મારવામાં આવ્યા હતા. હું ભયથી ધ્રૂજતો હતો. હું એ રાત ભૂલી શકતો નથી. મેં એ લોકો સામે હાથ જોડીને વિનંતી કરી પણ તેઓએ દયા ન દાખવી.

મહાપાત્રાએ કહ્યું, મને એક કોરો કાગળ આપવામાં આવ્યો અને તેના પર લખવા માટે કહેવામાં આવ્યું કે, તેણે જાણીજોઈને કાર્ટૂન ફોરવર્ડ કર્યું છે. મને લખવાનું કહેવામાં આવ્યું કે, હું CPI(M)નો કાર્યકર છું. જોકે આ બધું સાચું ન હતું. મેં લખવાની ના પાડી. તે પછી તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા. આ પછી મારી ધરપકડનો મેમો બહાર પાડવામાં આવ્યો હતો. મહાપાત્રાએ એમ પણ કહ્યું કે, ધરપકડના મેમોમાં સ્થળ, સાક્ષી વિશે પણ ખોટી માહિતી આપવામાં આવી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.