ખાલિસ્તાની ભાગેડુ અમૃતપાલ સિંહ પકડાયો, ગુરૂદ્વારામાંથી ધરપકડ

ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસે મોગા ગુરુદ્વારાથી તેની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ તરફથી ટ્વીટ કરીને તેની જાણકારી આપવામાં આવી છે. તે ઘણા દિવસોથી ફરાર ચાલી રહ્યો હતો. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, અમૃતપાલ સિંહે મોગા પોલીસ સામે મોડી રાત્રે સરેન્ડર કરી દીધું છે, પરંતુ ત્યારબાદ પંજાબ પોલીસે જણાવ્યું કે, અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેને મોગાના રોડેવાલ ગુરુદ્વારાથી પકડવામાં આવ્યો છે, જ્યાંથી પોલીસ તેને અમૃતસર લઈ ગઈ છે અને ત્યાંથી સીધો આસામના ડિબ્રૂગઢ જેલમાં મોકલવામાં આવશે.

પંજાબ પોલીસ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે, ‘અમૃતપાલ સિંહની પંજાબના મોગાથી ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસે વધુ જાણકારી પછી શેર કરશે.’ એ સિવાય પંજાબ પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈ પણ અફવા ફેલાવતા બચે. આ અગાઉ પંજાબ-હરિયાણા હાઇ કોર્ટે પણ પંજાબ પોલીસને ફટકાર લગાવી હતી કે જ્યારે તેમના સાથીઓને પકડી લીધા તો અમૃતપાલ સુધી કેમ ન પહોંચી શકી. હવે કહેવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમૃતપાલ સિંહ છેલ્લા ઘણા દિવસોથી ફરાર ચાલી રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત વીડિયો શેર કર્યા. કહેવામાં આવી રહ્યું હતું કે, તે વૈશાખીના અવસર પર સરેન્ડર કરશે, પરંતુ તેણે સરેન્ડર ન કર્યું. પંજાબ પોલીસે આખા દેશમાં નેપાળ બોર્ડર સુધી ઓપરેશન ચલાવ્યા. પંજાબ પોલીસના કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી. આ અગાઉ પંજાબ પોલીસે અમૃતપાલના નજીકના કહેવાતા પપ્પલપ્રીતની ધરપકડ કરી હતી.

પંજાબ પોલીસને તેણે નિવેદન આપ્યું હતું કે, ‘મને અમૃતપાલ બાબતે જાણકારી નથી. અમૃતપાલ આત્મસમર્પણ કરશે કે નહીં એ મને ખબર નથી.’ પપ્પલપ્રીતે સ્પષ્ટ કર્યું કે, અમે 28 માર્ચની રાત્રે જ અલગ થઈ ગયા હતા. પપ્પલપ્રીતની ધરપકડ બાદ તેના ચાન્સ વધી ગયા હતા કે અમૃતપાલ પણ હવે વધારે દિવસ નહીં રોકાય અને આત્મસમર્પણ કરશે. અમૃતપાલ સૌથી પહેલા 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે અજનાલા પોલીસ સ્ટેશનમાં પોતાના નજીકનાને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.