ડિઝલ વાહનો પર 10 ટકા GSTની ખબરમાં કેટલું સત્ય છે. જાણો ગડકરીએ શું કહ્યું

ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા GSTલગાવવાના સમાચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું કે, હાલમાં એવી કોઈ દરખાસ્ત મોકલવામાં આવી નથી જેમાં ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા GST ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવી હોય.

થોડા કલાકો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે નીતિન ગડકરીએ નાણામંત્રીને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં તેમણે ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા ટેક્સ લગાવવાની વાત કરી હતી. જો કે, હવે જ્યારે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી દીધી છે કેહાલમાં ડીઝલ વાહનો પર કોઈપણ પ્રકારનો વધારાનો ટેક્સ લાદવામાં આવશે નહીં. એટલે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.

પહેલા એવા સમાચાર આવ્યા હતા કેકે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ડીઝલ કારને લઈને નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાહન ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 63મા વાર્ષિક સંમેલનમાં નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને નાણાં મંત્રીને મળવાના છે.

મીડિય રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ હતું કે વાયુ પ્રદુષણને ઘટાડવા માટે ડીઝલ વાહનો અને જનરેટર સેટ પર પ્રદુષણ ટેક્સ તરીકે 10 ટકા વધારાનો GST લગાવવા માટે ગડકરી નાણામંત્રીને ભલામણ કરવાના છે.

હાલમાં દેશમાં મોટા ભાગના કોમર્શિયલ વાહનો ડીઝલ પર ચાલે છે, જો નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પ્રસ્તાવને મંજૂરી આપે તો ભારતમાં ડીઝલ કાર ઘણી મોંઘી થઈ જશે. મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડા સહિત વિવિધ કાર ઉત્પાદકોએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં ડીઝલ કારમાં પહેલેથી જ નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદકોએ તેને બજારમાં વેચવાનું બંધ કરવું પડશે. ડીઝલને ખતરનાક ઈંધણ ગણાવતા તેમણે કહ્યું કે દેશમાં માંગને પહોંચી વળવા ઈંધણની આયાત કરવી પડે છે. ગડકરીએ કહ્યુ હતું કે, ડીઝલને અલવિદા કહી દેજો નહી તો અમે એટલો ટેક્સ વધારી દઇશું કે ડીઝલ કાર વેચવી મુશ્કેલ થઇ પડશે.

હાલમાં, ઓટોમોબાઈલ પર 28 ટકા GST અને વાહનના પ્રકાર પર આધાર રાખીને 1 ટકાથી 22 ટકા સુધીનો વધારાનો ટેક્સ લાગે છે. નીતિન ગડકરીએ ઓટો ઉદ્યોગને ઇથેનોલ અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઇકો-ફ્રેન્ડલી વૈકલ્પિક ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.