મુંબઇમાં ગચ્છાધિપતિ શ્રી વિજય પૂણ્યપાલ સૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

તપાગચ્છાધિરાજ આચાર્ય શ્રી વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના સુવિશાળ સાધુ- સાધ્વી સમુદાયના ગચ્છાધિપતિ મધુરભાષી, પ્રવચન પ્રદીપ મહારાષ્ટ્ર શાર્દુલ પૂ. આચાર્ય વિજય પૂણ્યપાલ સૂરીશ્વર મહારાજ 23 જાન્યુઆરીને ગુરુવારે અત્યંત સ્વસ્થતા સાથે સમાધિપૂર્વક મુંબઇના મુલંડમાં સ્વર્ગવાસી બન્યા છે. આ સમાચારે જૈન સમાજને મોટો આંચકો આપ્યો છે.
પૂજ્ય શ્રી સૌરાષ્ટ્રના ગાધકડા ગામના વતની હતા. માત્ર 8 વર્ષની વયે તેમના પિતાએ તેમને જૈન સાધુ સંતો પાસે દીક્ષા અપાવી હતી અને ત્યાર બાદ તેમના માતા-પિતાએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી.
શુક્રવારે પૂણ્યદેહની મુંબઇમાં અંતિમયાત્રા નિકળી ત્યારે જૈન સમાજના લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp