ટ્રેન અકસ્માતમાં વાલી ગુમાવનારા બાળકોને મદદ માટે અદાણીએ કર્યું ટ્વિટ

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે મુશ્કેલીનો સામનો કરનાર ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બાલાસોર ટ્રેન અકસ્માતને લઇને મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટ્રેન અકસ્માતમાં જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે, તે તમામનો ખર્ચ અમે ઉઠાવીશું. બાલાસોર ટ્રેન એક્સિડન્ટમા કુલ 275 લોકોના મોત થયા છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કોઇકે પિતા ગુમાવ્યા તો કોઇકે પતિ. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાવા જતા હતા.ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા.  કેટલાંક એવા પણ હતા જે પહોંચતા જ ફોન કરીશ અને જલ્દી પૈસા મોકલી આપીશ તેવું વચન આપી ઘરેથી નીકળ્યા હતા.પરંતુ હવે ન તો તેમનો ક્યારેય ફોન આવશે, ન પૈસા. હવે મોટો સવાલ એ છે કે આવા પરિવારનું નિભાવ કેવી રીતે થશે? અનેક પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ટ્રેન એક્સિડન્ટની પળવારની  એ ઘટનાને કારણે અનેક પરિવારોના માળા વિખેરાઇ ગયા છે.સ્વજનોની શોધમાં અનેક લોકો ભટકી રહ્યા છે. બહાનાગા રેલ્વે સ્ટેશન પાસેનું દ્રશ્ય એટલું ભયાનક છે કે તેને જોઈને આત્મા કંપી જાય છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા, જ્યારે 1175 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતે અનેક પરિવારોને જીવનભરની પીડા આપી છે. ઘા એટલા ઊંડા છે કે તે ક્યારેય રૂઝાઈ શકે નહીં. પરંતુ આ દરમિયાન દેશના મોટા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મદદનો હાથ લંબાવ્યો છે.

આ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ગૌતમ અદાણીએ મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે,  જે માસૂમ બાળકોએ આ ટ્રેન અક્સ્માતમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવા દરેક બાળકની શિક્ષણની જવાબદારી અદાણી જૂથ ઉઠાવશે. ગૌતમ અદાણીએ કહ્યું કે અપણે બધા ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છીએ. જે બાદ અમે આવા બાળકોની શાળામાં ભણવાની જવાબદારી લેવાનું નક્કી કર્યું છે, જેમના માતા-પિતા આ અકસ્માતમાં જીવતા રહ્યા નથી. પીડિતો અને તેમના પરિવારોને શક્તિ પ્રદાન કરવી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.

દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક બુધવાર સવાર સુધીમાં કાર્યરત થઈ જશે. એટલે કે બુધવારથી તે જ પાટા પર ટ્રેન સમાન ઝડપે દોડવા લાગશે. લોકો આ ઘટનાને ધીમે ધીમે ભૂલવા લાગશે. પરંતુ આ અકસ્માતમાં જેમણે સર્વસ્વ ગુમાવ્યું તેમનું શું? હવે ટ્રેનના અવાજો તેમને જીવનભર ડંખતા રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવશે

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.