UPમા પેટાચૂંટણીના પ્રચારે ગયેલા ભાજપના ઉમેદવાર પર શાહી ફેંકવામાં આવી, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના મઉની ઘોસી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે. એના માટે  5 સપ્ટેમ્બરે મતદાન અને 8 સપ્ટેમ્બર મત ગણતરી થવાની છે. સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા દારા સિંહ ચૌહાણને આ બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે અને તેમણે ચૂંટણી જીતવા માટે પુરી તાકાત લગાડી દીધી છે. એના અનુસંધાનમાં દારા સિંહ રવિવારે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરવા માટે નિકળ્યા હતા. એ દરમિયાન કોઇકે તેમના મોંઢા પર શાહી ફેંકી દીધી હતી. આ ઘટના કોપાગંજ પોલીસ સ્ટેશનના અદરી મહોલ્લાની છે.

ભાજપના જિલ્લા અધ્યક્ષ પ્રવીણ ગુપ્તાએ આ માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ઠેરવી છે. ભાજપનો દાવો છે કે મોનુ યાદવ ઉર્ફે ડાયમંડ નામના યુવકે પાર્ટીના ઉમેદવાર પર શાહી ફેંકી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

દારા સિંહ ચૌહાણે કહ્યું કે રાજ્ય અને દેશની નજર આ ચૂંટણી પર છે. આ સીટ પર ભાજપને મળી રહેલ સમર્થનને કારણે વિપક્ષમાં બોખલાહટ જોવા મળી રહી છે, જેના કારણે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મતલબ કે આ લોકોએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

તાજેતરમાં દારા સિંહ અનેક વાહનોના કાફલા સાથે વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચૌહાણે કહ્યું હતું કે જ્યારે તેઓ લખનૌથી નીકળ્યા ત્યારે તેમણે જે ઉત્સાહ જોયો તે એ વાતનો પુરાવો છે કે PM મોદી પૂર્ણ બહુમત સાથે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હું દાવા સાથે કહી શકું છુ કે ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો જીતીને નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવામાં ઉત્તર પ્રદેશનો મોટો રોલ હશે.

દારા સિંહે આગળ કહ્યું હતું કે ઘોસી અમારો સૌથી પછાત વિસ્તાર છે. લોકોનું માનવું છે કે જ્યાં સુધી  તેઓ ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સાથે કામ નહીં કરે ત્યાં સુધી આ ક્ષેત્રનો વિકાસ થશે નહીં. એટલે તેમની સુરક્ષાને આગળ વધારવા માટે અમે ભાજપમાં જોડાયા છીએ.

દારા સિંહે કહ્યુ કે અમારા ઘણા બધા સાથી NDAમાં સામેલ થયા છે. આ જે તમે ભીડ જોઇ રહ્યા છો , એ બધા ઘોસીના મતદારો છે. તેમનો ઉત્સાહ એ વાતની સાબિતી છે કે પેટા ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.