સીમાનો પતિ હૈદર બોલ્યો- જે પોતાના પાકિસ્તાનની ન થઈ, તે ભારતની કેવી રીતે થઈ જશે?

પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવેલી સીમા હૈદર ગ્રેટર નોઇડામાં સચિન મીણા અને પોતાના 4 બાળકો સાથે રહે છે. હવે તેની તરફથી વરિષ્ઠ વકીલ એ.પી. સિંહ પણ આવી ગયા છે, જે સીમાને ભારતીય નાગરિકતા આપવાની માગ કરી રહ્યા છે. જ્યારથી સીમા ભારત આવી છે, ત્યારથી તે ચર્ચામાં છે. તેના પર ‘કરાંચી ટૂ નોઇડા’ નામની ફિલ્મ પણ બની રહી છે, જેનું પહેલું સોંગ જલદી જ રીલિઝ કરી શકાય છે.

બીજી તરફ સાઉદી અરબમાં બેઠો સીમાનો પતિ ગુલામ ખૂબ નારાજ છે. તેણે સીમા હૈદર અને તેના વકીલ એ.પી. સિંહ માટે ઝેર ઓક્યૂ છે. ગુલામે સીમા હૈદર અને તેના વકીલ પર ખૂબ ગુસ્સો કાઢ્યો. તેણે કહ્યું કે, સીમાને ભારતની નાગરિકતા નહીં મળે અને તેને લાત મારીને ભગાવી દેવામાં આવશે. સીમા હૈદર એક બેવકૂફ છોકરી છે. પહેલા કહેતી હતી હૈદર ખરાબ છે, હવે કહી રહી છે કે આખું પાકિસ્તાન ખરાબ છે. જે દેશની ન થઈ, તે તમારી કેવી રીતે થઈ જશે?

હું સીમાને દર મહિને પૈસા મોકલતો રહ્યો. ઘર લીધું, જેને તેણે વેચી દીધું. તે ભારતમાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે. જેથી તેને ત્યાંની નાગરિકતા મળી જાય રહેવા માટે, પરંતુ તેને ક્યારેય ભારતની નાગરિકતા નહીં મળે. ગુલામે આગળ કહ્યું કે, તેને ચપ્પલ અને લાત મારીને ભગાવી દેવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે. કોર્ટ અને સરકારથી અમને ન્યાય મળશે. તો ભારતમાં સીમા પોતાના 4 બાળકો સાથે આરામથી જિંદગી જીવી રહી છે, બીજી તરફ સાઉદી અરબમાં બેઠો પતિ ગુલામ ખૂબ બેચેન છે.

તે ઓછામાં ઓછો પોતાના બાળકોને મળવા માગે છે અને તેમને પાછા લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે મોટું પગલું ઉઠાવતા એ સ્પષ્ટ કરી દીધું છે કે તે બાળકો માટે કોઈ પણ પ્લેટફોર્મ સુધી જવા તૈયાર છે. ભલે તેને ભારત આવવું પડે કે પાકિસ્તાન જવું પડે. એક યુટ્યુબ ચેનલ પર ગુલામ હૈદરે કહ્યું કે, અત્યારે જોઈ રહ્યો છે કે સરકાર આ બાબતે શું કરી રહી છે. શું તે બાળકોને ડિપોર્ટ કરશે કે નહીં. એ સિવાય પાસપોર્ટ પૂરી રીતે તૈયાર કરી લીધો છે. તેના છેલ્લા શ્વાસ પણ બાળકો પર જ કુરબાન છે.

બાળકોની વાપસી માટે પછી મને ભારત સુધી જવું પડે જરૂર જઈશ. કોઈ ત્યાંના વિઝા અપાવવામાં મદદ કરે તો સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, સીમા અને સચિનને ઓનલાઇન જેમ પબ્જીના માધ્યમથી થોડા વર્ષ અગાઉ પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને એક-બીજા નજીક આવી ગયા અને પછી બંનેને પ્રેમ થઈ ગયો. અંતે માર્ચમાં સીમા પાકિસ્તાનથી નેપાળ પહોંચી ગઈ, જ્યાં સચિન પણ પહોંચ્યો. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે મંદિરમાં લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કરી લીધું. ત્યારબાદ અહીથી છાનામાના નેપાળના માર્ગે ભારત આવી ગયા અને સચિનના ગ્રેટર નોઇડા સ્થિત ગામમાં રહેવા લાગ્યા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.